હોર્મુઝમાં ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો હુમલો
હોર્મુઝમાં ઈરાને જહાજ કબજે કરી કરેલી કાર્યવાહીથી વૈશ્વિક તણાવ, ભારતની સુરક્ષા ચિંતા વધી

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે ભારત તરફ જતાં એક જહાજ પર પણ હુમલો કર્યો. જપ્ત કરાયેલા બે જહાજોમાંથી એક ગુજરાત તરફ જતું કાર્ગો જહાજ હતું. ભારત તરફ જતું એક જહાજ સહિત અનેક અન્ય જહાજો પર પણ હુમલો કરવામાં આવ્યો.
બુધવારે, ઇરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ઓમાનના દરિયાકાંઠે અનેક જહાજો પર ભારે ગોળીબાર કર્યો. ફાર્સ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, IRGC નેવીએ હોર્મુઝની સ્ટ્રેટમાં નિયમોનું ઉલ્લંઘન કરતા બે જહાજો જપ્ત કર્યા છે. ભારત તરફ જતાં એક જહાજ પર પણ હુમલો કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, ગુજરાતના મુદ્રા બંદર તરફ જતું એક જહાજ જપ્ત કરવામાં આવ્યું છે. ઇરાની સમાચાર એજન્સીએ જણાવ્યું છે કે જહાજને જપ્ત કરીને ઈરાન લઈ જવામાં આવ્યું છે.
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ બે જહાજો પર હુમલો કરી કબજે કર્યા છે. આ જહાજોને ઈરાન લઈ જવામાં આવી રહ્યા છે. તેમાંથી એક જહાજ ગુજરાત આવી રહ્યું હતું. ઈરાનના રાજ્ય ટેલિવિઝન અનુસાર આ જહાજોની ઓળખ MSC ફ્રાન્સેસ્કા અને એપામિનોડ્સ તરીકે કરવામાં આવી છે. MSC ફ્રાન્સેસ્કા પનામાનો ધ્વજ લહેરાવે છે. જ્યારે એપામિનોડ્સ લાઇબેરિયન ધ્વજ લહેરાવે છે.
શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર, ઈરાન દ્વારા જપ્ત કરાયેલું જહાજ એપામિનોડ્સ, ગુજરાતના મુન્દ્રા બંદર તરફ જઈ રહ્યું હતું. દુબઈથી પોતાની યાત્રા શરૂ કરનાર અને ભારત તરફ જઈ રહેલા જહાજ પર IRGC દ્વારા હુમલો કરીને તેમને કબજે કરવામાં આવ્યા હતા. ભારતીય બંદર તરફ જઈ રહેલા જહાજની જપ્તીએ દરિયાઈ સુરક્ષા અને સપ્લાય ચેઈન અંગે ભારતની ચિંતા વધારી છે.
ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજો પર ગોળીબાર કર્યો
યુનાઈટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટરે હુમલાની પુષ્ટિ કરતા કહ્યું, "જહાજના કેપ્ટને અહેવાલ આપ્યો કે IRGCની એક ગનબોટ તેમના જહાજની નજીક આવી અને ભારે ગોળીબાર કર્યો. જેના કારણે જહાજના પુલને નોંધપાત્ર નુકસાન થયું." એજન્સીએ જણાવ્યું કે IRGCના ગોળીબારમાં કોઈ ક્રૂ મેમ્બર ઘાયલ થયા નથી અને બધા સુરક્ષિત છે. આ ઘટના ઓમાનથી લગભગ 15 નોટિકલ માઈલ ઉત્તરપૂર્વમાં બની હતી.
યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટરે જણાવ્યું, "એક કન્ટેનર જહાજના કેપ્ટને અહેવાલ આપ્યો કે IRGCની એક ગનબોટ જહાજની નજીક આવી... જેણે પછી જહાજ પર ગોળીબાર કર્યો, જેના કારણે જહાજના પુલને નોંધપાત્ર નુકસાન થયું. કોઈ આગ કે પર્યાવરણીય અસરના કોઈ અહેવાલ નથી."
આ ઘટના ઓમાનથી 15 નોટિકલ માઈલ ઉત્તરપૂર્વમાં બની હતી. બધા ક્રૂ સભ્યો સુરક્ષિત બચી ગયા હતા. લાઇબેરિયન ધ્વજ હેઠળ ઉડતા જહાજને જાણ કરવામાં આવી હતી કે તેને સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગી છે. બ્રિટિશ દરિયાઈ સુરક્ષા કંપની વાનગાર્ડ ટેક એ પુષ્ટિ આપી હતી કે હુમલા પહેલા જહાજને "હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગી હોવાનું જણાવવામાં આવ્યું હતું".

ઈરાને જહાજો જપ્ત કરવા અંગે શું કહ્યું?
ઈરાની નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું છે કે, બે જહાજો, MSC-FRANCESCA અને EPAMINODES, જરૂરી પરવાનગી વિના કાર્યરત હતા અને નેવિગેશન સિસ્ટમમાં છેડછાડ કરી હતી. જે દરિયાઈ સુરક્ષા માટે ખતરો હતો. તેમને IRGC નૌકાદળે કબજે કર્યા હતા અને ઈરાની કિનારા પર લઈ ગયા હતા. બંને જહાજો હાલમાં ઈરાનના પ્રાદેશિક પાણીમાં છે. જ્યાં તેમના કાર્ગો, દસ્તાવેજો અને સંબંધિત રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર ગોળીબાર
ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર, જહાજે "ઈરાની સશસ્ત્ર દળોની ચેતવણીઓને અવગણી હતી." ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામ દરમિયાન ઈરાને વ્યાપારી જહાજો માટે જળમાર્ગ ફરીથી ખોલ્યો હતો. પરંતુ તેહરાને તરત જ જળમાર્ગ બંધ કરી દીધો અને વોશિંગ્ટન પર તેના વચનનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો. કારણ કે અમેરિકાએ ઈરાની બંદરો તરફ અને ત્યાંથી આવતા જહાજો પર નૌકાદળની નાકાબંધી ચાલુ રાખવાનું વચન આપ્યું હતું. ઈરાનના સેન્ટ્રલ મિલિટરી કમાન્ડે બાદમાં જાહેરાત કરી હતી કે તે હોર્મુઝ સ્ટ્રેટનું "કડક સંચાલન" ફરી શરૂ કરશે.
અગાઉ, હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની સરહદ નજીક ત્રણ જહાજો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ત્રણ કાર્ગો જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, હુમલા પહેલા IRGC સાથે જોડાયેલી એક ગનબોટે અચાનક ગોળીબાર કર્યો હતો. આશ્ચર્યજનક રીતે જહાજો પાસે ટ્રાન્ઝિટ પરવાનગી હતી. પરંતુ હુમલાખોરોએ ગોળીબાર કરતાં પહેલા કોઈ રેડિયો સંદેશાવ્યવહાર અથવા ચેતવણી આપી ન હતી.
મહત્વપૂર્ણ છે કે, એક દિવસ પહેલા જ અમેરિકાએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પાકિસ્તાન મુલાકાત મુલતવી રાખી હતી. ટ્રમ્પે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ બે અઠવાડિયા માટે લંબાવ્યો હતો. આ ઘટનાક્રમથી પશ્ચિમ એશિયામાં તણાવ વધી રહ્યો છે.

ગોળીબાર બાદ થયું કંઈક એવું કે આખું શહેર હચમચી ગયું!

ચીનના ‘શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્ક’માં ભારત સહિત 40થી વધુ દેશોના નામ

17 વર્ષીય અર્જુન અરવિંદ પર માતા-ભાઈની હત્યાનો આરોપ, ChatGPT સર્ચ હિસ્ટ્રીએ ખળભળાટ મચાવ્યો