બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર, વધુ એકની હત્યા
૧૮ દિવસમાં ૫ હિન્દુઓની હત્યા અને મહિલા પર સામૂહિક બળાત્કાર; લઘુમતીઓ ભયના ઓથાર હેઠળ

રાણા પ્રતાપ બૈરાગીની હત્યા

રાણા પ્રતાપ બૈરાગીની હત્યા
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ લઘુમતી હિન્દુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારોની વણઝાર અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લા થોડા દિવસોમાં જે રીતે હિન્દુ પુરુષોની ટાર્ગેટ લિંકિગ અને મહિલાઓ પર પાશવી હુમલાની ઘટનાઓ સામે આવી છે, તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકારો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. જસોરથી લઈને ઝેનૈદાહ સુધી ફેલાયેલી આ હિંસાએ સમગ્ર વિશ્વના હિન્દુઓમાં ભારે આક્રોશ જન્માવ્યો છે.
બાંગ્લાદેશના જસોર જિલ્લાના મોનિરામપુરમાંથી અત્યંત કરુણ સમાચાર સામે આવ્યા છે. અહીં રાણા પ્રતાપ બૈરાગી નામના એક હિન્દુ વ્યક્તિની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. અહેવાલો અનુસાર, અસામાજિક તત્વોએ રાણા પ્રતાપને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો, જેમાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
આ હત્યા કોઈ એકલદોકલ ઘટના નથી. આંકડાઓ પર નજર કરીએ તો, બાંગ્લાદેશમાં છેલ્લા માત્ર 18 દિવસના ટૂંકા ગાળામાં કુલ પાંચ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. સતત થઈ રહેલી આ હત્યાઓ સાબિત કરે છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે જીવવું દુષ્કર બની ગયું છે. સરકારના દાવાઓ છતાં લઘુમતીઓની સુરક્ષા રામ ભરોસે હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
માનવતા શર્મસાર: વિધવા મહિલા પર પાશવી હુમલોજસોરની હત્યાના આઘાત હજુ શમ્યા નથી ત્યાં ઝેનૈદાહ જિલ્લાના કાલીગંજમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક ૪૦ વર્ષીય વિધવા હિન્દુ મહિલા પર બે નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો છે. આટલેથી ન અટકતા, આરોપીઓએ મહિલાને ઝાડ સાથે બાંધી દીધી અને જાહેરમાં તેના વાળ કાપી નાખ્યા હતા.
ઘટનાની વિગતવાર વિગત: પીડિત મહિલાએ અઢી વર્ષ પહેલા કાલીગંજ નગરપાલિકામાં શાહીન નામના વ્યક્તિ અને તેના ભાઈ પાસેથી ૨ મિલિયન ટકામાં એક બે માળનું મકાન અને જમીન ખરીદી હતી. ત્યારથી જ શાહીનની નજર આ મહિલા અને તેની મિલકત પર હતી. શાહીન અવારનવાર મહિલા પાસે અભદ્ર માંગણીઓ કરતો હતો અને જમીન પચાવી પાડવા ધમકીઓ આપતો હતો.
શનિવારે સાંજે જ્યારે મહિલાના બે સંબંધીઓ તેને મળવા આવ્યા હતા, ત્યારે શાહીન અને તેનો સાથી હસન હથિયારો સાથે ઘરમાં ઘૂસી ગયા હતા. તેઓએ મહિલા પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની પાસે ૫૦,૦૦૦ ટકાની ખંડણી માંગી હતી. જ્યારે મહિલાએ પ્રતિકાર કર્યો અને તેના સંબંધીઓએ તેને બચાવવા પ્રયાસ કર્યો, ત્યારે નરાધમોએ સંબંધીઓને માર મારીને ભગાડી દીધા હતા. ત્યારબાદ મહિલાને ઘરની બહાર ઝાડ સાથે બાંધી, તેના વાળ કાપી નાખ્યા અને આ સમગ્ર ક્રૂરતાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
લઘુમતીઓની સુરક્ષા પર સવાલબાંગ્લાદેશમાં જે રીતે હિંસા અને અરાજકતાનું વાતાવરણ છે, તેમાં લઘુમતીઓ સૌથી વધુ સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે. જમીન પચાવી પાડવી, ધાર્મિક સ્થળો પર હુમલા કરવા અને મહિલાઓની આબરૂ લૂંટવી એ હવે ત્યાં રોજિંદી ઘટના બની ગઈ હોય તેમ લાગે છે. સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર પણ આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવાને બદલે મૌન સેવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
રાણા પ્રતાપ બૈરાગીની હત્યા અને વિધવા મહિલા પરનો આ અત્યાચાર એ માત્ર ગુના નથી, પરંતુ એક આખા સમુદાયને ડરાવવાનું ષડયંત્ર છે. ભારત સહિત વિશ્વના દેશોએ બાંગ્લાદેશ સરકાર પર દબાણ વધારવું જરૂરી છે જેથી ત્યાં વસતા નિર્દોષ હિન્દુઓને જીવવાની સુરક્ષા મળી શકે. જો આ હિંસા નહીં અટકે તો આગામી સમયમાં મોટા પાયે હિજરતની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે.

ગોળીબાર બાદ થયું કંઈક એવું કે આખું શહેર હચમચી ગયું!

ચીનના ‘શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્ક’માં ભારત સહિત 40થી વધુ દેશોના નામ

17 વર્ષીય અર્જુન અરવિંદ પર માતા-ભાઈની હત્યાનો આરોપ, ChatGPT સર્ચ હિસ્ટ્રીએ ખળભળાટ મચાવ્યો