ભાવનગરના કેટરિંગના વેપારીનો આપઘાત
વ્યાજખોરોની ધાકધમકીથી ત્રસ્ત કેટરિંગના વેપારીનો આપઘાત

કેટરિંગના વેપારી

કેટરિંગના વેપારી
વ્યાજખોરોથી કંટાળી ભાવનગરના કેટરિંગના વેપારીનો આપઘાત
ભાવનગરના કૃષ્ણનગર ડેરી રોડ વિસ્તારમાં રહેતા અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને વ્યાજખોરોની ધાકધમકીથી ત્રસ્ત થઈ સુભાષનગર સ્થિત પોતાના ગોડાઉનમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.
કૃણાલ ઉમેશભાઈ માંડલિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના નાનાભાઈ મેહુલ (ઉં.૩૪) કેટરિંગના વ્યવસાય અર્થે નાણાંની જરૂર પડતા પિન્ટુ ચસ્કામસ્કા વાળા, રવિ ચંદુભાઈ ખોખર તેમજ તેમના વતી ઉઘરાણી કરતા ગોપાલ અને લાલા સાટિયા પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. આ ચારેય શખ્સો ઊંચા વ્યાજની વસૂલાત માટે મેહુલને ફોન પર અને રૂબરૂ મળી સતત ધાકધમકી આપતા હતા. આરોપી લાલા સાટિયાએ મેહુલ પાસેથી બળજબરીથી એક્ટિવા પડાવી લીધું હતું, જ્યારે રવિ ખોખરે નાણાં નહીં ચૂકવાય તો ઘરના સભ્યોને બહાર કાઢી ઘર પચાવી પાડવાની ધમકી આપતા મેહુલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો