રાજસ્થાનમાં ₹2000 કરોડના ખીચડી કૌભાંડનો પર્દાફાશ!
મધ્યાહન ભોજનના રાશનમાં ઉચાપત, ACBએ 21 અધિકારીઓ અને કંપનીઓ સામે કેસ કર્યો

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સમગ્ર રાજ્યને હચમચાવી નાખનારા 'ખીચડી કૌભાંડ'માં COVID-19 દરમિયાન શાળાઓ બંધ હતી ત્યારે બાળકોને પૂરા પાડવામાં આવતા મધ્યાહન ભોજનના રાશનમાંથી આશરે 2 હજાર કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. તપાસ બાદ ACB એ રાજસ્થાન સ્ટેટ કો-ઓપરેટીવ કન્ઝ્યુમર્સ ફેડરેશન લિમિટેડ(CONFED) ના ઉચ્ચ અધિકારીઓ અને ખાનગી કંપનીઓ સામે કેસ દાખલ કર્યો છે.
'ખીચડી કૌભાંડ' કેવી રીતે થયું?
COVID-19 રોગચાળા દરમિયાન બાળકો શાળાઓમાં રાંધેલું ભોજન મેળવી શક્યા ન હતા. તેથી સરકારે દરેક ઘરમાં કઠોળ, તેલ અને મસાલાના 'કોમ્બો પેક' પહોંચાડવાની યોજના બનાવી હતી. ACB તપાસમાં જાણવા મળ્યું છે કે, કન્ફેડના અધિકારીઓએ ટેન્ડરની શરતોમાં ફેરફાર કરીને પ્રામાણિક કંપનીઓને બાકાત રાખવામાં આવી હતી. જ્યારે "મનપસંદ" કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ માલ ખરીદ્યા કે સપ્લાય કર્યા વિના ઊંચા દરે નકલી બિલ પસાર કરી સરકારી ભંડોળનો દુરૂપયોગ કરવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટ મેળવનાર કંપનીઓએ ગેરકાયદે નાની સંસ્થાઓને કામ આપી આઉટસોર્સ કર્યું હતું. જેનાથી ભ્રષ્ટાચારનું વિશાળ નેટવર્ક ઉભું થયું હતું.
ACBના જાળમાં કોણ ફસાયું?
ACBએ આ કૌભાંડમાં 21 નામાંકિત આરોપીઓ સામે FIR દાખલ કરી છે. તેમાં કન્ફેડના ઘણા પ્રભાવશાળી અધિકારીઓનો સમાવેશ થાય છે. યાદીમાં સંવતરામ (સહાયક એકાઉન્ટન્ટ), રાજેન્દ્ર અને લોકેશ કુમાર બાપના (મેનેજર્સ), પ્રતિભા સૈની, યોગેન્દ્ર શર્મા અને રાજેન્દ્ર સિંહ શેખાવત જેવા નામોનો સમાવેશ થાય છે. મેસર્સ તિરુપતિ સપ્લાયર્સ, જાગૃત એન્ટરપ્રાઇઝ અને સાઈ ટ્રેડિંગ જેવી મોટી સંસ્થાઓના માલિકોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.
સરકારી તિજોરીને સીધું નુકસાન
ACB દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે એગમાર્ક અને FSSAI ધોરણોના નામે હલકી ગુણવત્તાવાળા માલ પૂરા પાડવામાં આવ્યા હતા. ઘણા કિસ્સાઓમાં, કોઈ ડિલિવરી કરવામાં આવી ન હતી. આ વ્યવસ્થિત છેતરપિંડીના પરિણામે રાજસ્થાન તિજોરીને ₹2,000 કરોડનું સીધું નુકસાન થયું હતું.

મહારાષ્ટ્રના નવા નિયમથી હજારો ડ્રાઇવરોમાં ખળભળાટ

બિહારમાંથી બિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ, રૂ. 1.5 કરોડનું કાવતરું ખુલ્લું પડ્યું

ચંદીગઢ અને લુધિયાણામાં દરોડા