ન્યૂઝીલેન્ડ સીરિઝ પહેલા શુભમન ગિલ મેદાનમાં ઉતરશે
ટીમ ઇન્ડિયામાં વાપસી પહેલા ગિલ વિજય હઝારે ટ્રોફીમાં પંજાબ તરફથી બે મહત્વની મેચો રમશે

શુભમન ગિલ

શુભમન ગિલ
ટીમ ઇન્ડિયાના નવા સુકાની શુભમન ગિલની એક્શનમાં વાપસી: ન્યૂઝીલેન્ડ સીરિઝ પહેલા ડોમેસ્ટિક ક્રિકેટમાં બતાવશે દમ :
ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત 3 જાન્યુઆરીએ થવાની છે, જેમાં ટીમ ઇન્ડિયાના નવા કેપ્ટન શુભમન ગિલનું કમબેક નિશ્ચિત મનાઈ રહ્યું છે. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં ઈજાના કારણે બહાર રહેલો ગિલ હવે સંપૂર્ણ ફિટ થઈ ગયો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે વાપસી કરતા પહેલા તે સ્થાનિક ક્રિકેટમાં પંજાબ તરફથી રમતો જોવા મળશે.
વિજય હઝારે ટ્રોફીમાં પંજાબ તરફથી રમશે ગિલ :
શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ સામે 11 જાન્યુઆરીથી શરૂ થતી વનડે સીરિઝ પહેલા મેચ પ્રેક્ટિસ મેળવવા માટે વિજય હઝારે ટ્રોફીમાં ભાગ લેશે. ગિલ પંજાબની ટીમ તરફથી સિક્કિમ અને ગોવા સામેની પ્રારંભિક બે મેચોમાં મેદાનમાં ઉતરશે. પગની ઈજામાંથી સાજા થયા બાદ ગિલ હાલ જયપુરમાં સઘન પ્રેક્ટિસ કરી રહ્યો છે. જોકે, 7 જાન્યુઆરીએ ટીમ ઇન્ડિયાના કેમ્પમાં જોડાવવાનું હોવાથી તે ટૂર્નામેન્ટની ત્રીજી મેચમાં રમી શકશે નહીં.
અર્શદીપ સિંહ પણ ફોર્મ મેળવવા મેદાનમાં ઉતરશે :
ગિલની સાથે ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પણ પંજાબની ટીમમાં જોડાવા માટે તૈયાર છે. ટી20 વર્લ્ડ કપ 2026 ના રોડમેપ માટે અર્શદીપ ખૂબ જ મહત્વનો ખેલાડી છે. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં પસંદગી પામતા પહેલા તે પણ આ ડોમેસ્ટિક મેચો રમીને લય મેળવવાનો પ્રયાસ કરશે.
ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી ગિલ માટે કેપ્ટન તરીકે ખૂબ જ મહત્વની સાબિત થશે, કારણ કે આ સીરિઝથી ભારતીય ટીમ પોતાના નવા યુગની શરૂઆત કરવા જઈ રહી છે.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત