20 વર્ષ બાદ ઠાકરે ભાઈઓ એક થયા, ભાજપ પર પ્રહાર
BMC ચૂંટણી પહેલા ઉદ્ધવ અને રાજ ઠાકરેનું ગઠબંધન, શિવસેના ભવનથી મરાઠી મેયર માટે હુંકાર

ઉદ્ધવ અને રાજ ઠાકરે

ઉદ્ધવ અને રાજ ઠાકરે
BMC ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ઉલટફેર: ઠાકરે ભાઈઓનું ઐતિહાસિક મિલન
મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વર્ષોથી અલગ રસ્તે ચાલતા બે ભાઈઓ, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે, હવે ફરી એક મંચ પર આવ્યા છે. આ ગઠબંધન બાદ બંને નેતાઓએ સંયુક્ત રીતે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ખાસ વાત એ છે કે, રાજ ઠાકરે પૂરા 20 વર્ષ બાદ દાદર સ્થિત 'શિવસેના ભવન' ખાતે પહોંચ્યા હતા, જે શિવસૈનિકો માટે ભાવુક ક્ષણ બની હતી.
શિવસેના ભવનમાં રાજ ઠાકરેની ભાવુક એન્ટ્રી :
શિવસેના ભવનમાં પગ મૂકતાની સાથે જ રાજ ઠાકરેએ જૂની યાદો તાજી કરી હતી. તેમણે ભવન સાથે જોડાયેલા 1977ના સંઘર્ષના દિવસોને યાદ કર્યા હતા. તેમણે વ્યંગાત્મક લહેજામાં જણાવ્યું કે લાંબા સમય બાદ અહીં પરત ફરીને તેમને જેલની બહાર આવ્યા જેવો અનુભવ થઈ રહ્યો છે. આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત પણ તેમની સાથે હાજર રહ્યા હતા અને ત્રણેય નેતાઓએ કેન્દ્ર અને રાજ્યમાં સત્તાધારી ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા.
મરાઠી મેયર અને પ્રાદેશિક અસ્મિતાનો મુદ્દો :
રાજ ઠાકરેએ ફરી એકવાર મરાઠી કાર્ડ રમતા સ્પષ્ટ કર્યું કે મુંબઈ જ નહીં, પરંતુ મહારાષ્ટ્રના દરેક શહેરના મેયર મરાઠી જ હોવા જોઈએ. તેમણે વડોદરાના ઈતિહાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે ત્યાં મરાઠા સામ્રાજ્ય હોવા છતાં મેયર હંમેશા ગુજરાતી હોય છે, તો મુંબઈમાં મેયર મરાઠી હોવા અંગે પ્રશ્નો કેમ ઉઠાવવામાં આવે છે? તેમણે મહારાષ્ટ્રને અન્ય રાજ્યો જેવું બનાવવાના પ્રયાસો સામે લાલ આંખ કરી હતી.
લોકશાહી બચાવવા ઉદ્ધવ ઠાકરેની અપીલ :
બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર લોકશાહી ખતમ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે હવે માત્ર મતોની જ નહીં પરંતુ ઉમેદવારોની પણ ચોરી થઈ રહી છે. વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકર પર સત્તાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કરતા તેમણે કહ્યું કે જ્યાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે ત્યાં ફરીથી પારદર્શક ચૂંટણી થવી જોઈએ. ઠાકરે ભાઈઓના આ મિલનથી આગામી મુંબઈ ચૂંટણીમાં ભાજપ અને શિંદે જૂથ માટે પડકારો વધવાની શક્યતા છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.

મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા વિવાદ ફરી ગરમાયો છે. 1960થી 2026 સુધી મરાઠી અસ્મિતા, શિવસેના, MNS, સ્થાનિક રોજગાર, પરપ્રાંતીયો અને હિન્દી વિરોધની સંપૂર્ણ રાજકીય કહાની જાણો.