બિહારમાં ગુજરાત ભાજપના નેતા મતદાર બની ગયા!
બિહાર ભાજપના પ્રભારી ભીખુ દલસાણિયા પટનાના મતદાર બની ગયાનો તેજસ્વી યાદવનો દાવો
‘ગુજરાતના મતદારો પણ બિહારના મતદારો બની રહ્યા છે’- તેજસ્વી યાદવનો ભાજપ સામે કટાક્ષ
‘ગુજરાતના મતદારો પણ બિહારના મતદારો બની રહ્યા છે’- તેજસ્વી યાદવનો ભાજપ સામે કટાક્ષ
બિહારની મતદાર યાદીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર રાજકીય ઘમાસાણ ચાલુ છે. દિલ્હીથી બિહાર સુધી વિપક્ષે મોરચો ખોલ્યો છે. દરમિયાન, બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે SIR પર સવાલ ઉઠાવી ગુજરાત ભાજપના નેતાને નિશાન બનાવ્યા છે. ‘ગુજરાતના મતદારો પણ હવે બિહારના મતદારો બની રહ્યા છે’ તેવો આક્ષેપ કરતાં SIR મુદ્દો બિહારથી વાયા દિલ્હી થઈને હવે ગુજરાત તરફ ફંટાયો છે. બિહાર ભાજપના પ્રભારી ભીખુ દલસાણિયા પટનાના મતદાન બની ગયા હોવાનો તેજસ્વી યાદવે ગંભીર આક્ષેપ કર્યો છે.
પટણામાં એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને ગરીબો પાસેથી મતદાનનો અધિકાર છીનવી રહી છે. તેમણે દાવો કર્યો કે ગુજરાત ભાજપના નેતા ભીખુભાઈ દલસાણિયા પટણાના મતદાર બની ગયા છે. તેમણે એમ પણ કહ્યું કે તેમણે ગુજરાતમાં મતદાર યાદીમાંથી પોતાનું નામ કઢાવી નાખ્યું છે.
તેમણે ઉમેર્યુ કે ‘ભીખુભાઈ દલસાણિયાએ વર્ષ 2024માં ગુજરાતમાં પોતાનો છેલ્લો મત આપ્યો હતો. તેઓ હજુ પણ પટનાના મતદાર છે. ગુજરાતમાં તેમનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું. પાંચ વર્ષ પણ થયા નથી અને તમે સ્થાનો બદલીને મતદાન કરવાનું શરૂ કર્યું. બિહારની ચૂંટણીઓ પૂરી થઈ જશે, ત્યારે તેમનું નામ કાઢી નાખ્યા પછી તેઓ ક્યાં જશે?, આ એક ષડયંત્ર છે જે તમારે બધાએ સમજવું પડશે. ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને મોટા પાયે છેતરપિંડી કરી રહી છે’
તેમણે મુઝફ્ફરપુરના મેયર નિર્મલા દેવી પર બે EPIC કાર્ડ હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો. તેજસ્વી યાદવના મતે, નિર્મલા દેવી પાસે એક જ વિધાનસભામાં બે EPIC ID છે. તે બંને અલગ છે. નિર્મલા દેવી જ નહીં, પરંતુ નિર્મલા દેવીના સંબંધીઓ પાસે પણ બે EPIC નંબર છે. તેમણે નિર્મલા દેવીની ઉંમરના તફાવત વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે હવે સમજી શકાય છે કે સુધારણા કાર્ય કેટલી ગંભીરતાથી કરવામાં આવી રહ્યું છે.
તેજસ્વી યાદવે ફરીથી ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા પર નિશાન સાધ્યું અને કહ્યું કે જો તેમણે ખુલાસો ન કર્યો હોત તો વિજય સિંહાનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં ન આવ્યું હોત. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે તેમણે બે જિલ્લા પટના અને લખીસરાયમાં ગુનો કર્યો છે. તો પછી નોટિસ ફક્ત એક જ જિલ્લામાંથી કેમ આવી? તેમણે કહ્યું કે ભાજપના લોકો પોતાનું અસ્તિત્વ બચાવવા દરેક લડાઈ લડશે.
તેમણે દાવો કર્યો કે, વિપક્ષ સતત ચૂંટણી પંચની નબળાઈઓ અને આશંકાઓ સામે લાવી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી ચૂંટણી પંચે એકપણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી. તેમણે કહ્યું કે બિહાર લોકશાહીની માતા રહી છે અને અમે અહીં લોકશાહીને મરવા નહીં દઈએ.
તેજસ્વી યાદવે બુધવારે ચૂંટણી પંચ પર મોટા પાયે ગેરરીતિઓનો આરોપ લગાવી પુનરોચ્ચાર કર્યો હતો કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીઓનો બહિષ્કાર કરી શકે છે. તેજસ્વીએ જાહેરાત કરી હતી કે 17 ઓગસ્ટથી તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે "ભાઈચારો મત યાત્રા" માં જોડાશે, જે દરમિયાન તેઓ જનતાને મળશે અને આ મુદ્દા પર ચર્ચા કરશે.
"યાત્રા પછી, અમે વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવો કે નહીં તે અંગે ગંભીરતાથી વિચાર કરીશું. જ્યારે ચૂંટણી પંચે બધું નક્કી કરી લીધું છે, ત્યારે એવું પણ વિચારી શકાય છે કે અમે ચૂંટણીમાં ભાગ ન લઈ શકીએ," તેમણે કહ્યું.
"પહેલા ભાજપ ED અને CBI જેવી એજન્સીઓનો ઉપયોગ કરતો હતો; હવે તે ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહ્યો છે," તેજસ્વીએ કહ્યું. 2020 ની બિહાર વિધાનસભા ચૂંટણીઓને યાદ કરતાં, યાદવે આરોપ લગાવ્યો કે તેઓ એક બેઠક 12,000 મતોથી હારી ગયા હતા અને તેમની પાર્ટીએ જાણી જોઈને 10 બેઠકો ગુમાવી હતી. "આ બધું મત ચોરીનો ખેલ છે," તેમણે દાવો કર્યો.
બિહાર વિધાનસભા ચૂંટણીને થોડા મહિના બાકી હોવાથી મતદાર યાદીના વિવાદને લઈ શાસકપક્ષ NDA અને વિપક્ષી મહાગઠબંધન વચ્ચે તણાવ ઉભરી આવ્યો છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.