અમિત શાહે લાલકૃષ્ણ અડવાણીનો રેકોર્ડ તોડ્યો!
અમિત શાહે કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે 2,258 દિવસ પૂર્ણ કરી લાંબા સમય સુધી રહેવાનો રેકોર્ડ બન
લાંબા સમય સુધી ગૃહમંત્રી તરીકે 2256 દિવસ સેવા આપવાનો રેકોર્ડ લાલકૃષ્ણ અડવાણીના નામે હતો
લાંબા સમય સુધી ગૃહમંત્રી તરીકે 2256 દિવસ સેવા આપવાનો રેકોર્ડ લાલકૃષ્ણ અડવાણીના નામે હતો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે 5 ઓગસ્ટ ઐતિહાસિક દિવસ હતો. તેઓ ભારતના ઇતિહાસમાં કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા રાજકારણી બન્યા છે. અમિત શાહે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પાછળ છોડીને રેકોર્ડ બનાવ્યો છે.
અમિત શાહે 30 મે 2019 ના રોજ દેશના ગૃહમંત્રીની જવાબદારી સંભાળી હતી. રાજનાથ સિંહને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ જીત મેળવ્યા બાદ, વડા પ્રધાન મોદીના બીજા કાર્યકાળમાં અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ હાલમાં પણ આ પદ પર સેવા આપી રહ્યા છે. 10 જૂન, 2024 ના રોજ, અમિત શાહે બીજી વખત ગૃહમંત્રી તરીકે શપથ લીધા.
હાલમાં, અમિત શાહે ગૃહમંત્રી તરીકે 2,258 દિવસ (30 મે 2019 થી 5 ઓગસ્ટ 2025 સુધી) પૂર્ણ કર્યા છે. અગાઉ, સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી તરીકે સેવા આપવાનો રેકોર્ડ લાલકૃષ્ણ અડવાણીના નામે હતો. તેમણે આ પદ પર 2,256 દિવસ (19 માર્ચ 1998 થી 22 મે 2004 સુધી) સેવા આપી હતી. તે સમયે અટલ બિહારી વાજપેયી દેશના વડા પ્રધાન હતા.
ગૃહમંત્રી તરીકે સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા નેતાઓમાં કોંગ્રેસના નેતા ગોવિંદ વલ્લભ પંતનો પણ સમાવેશ થાય છે. જેમણે 10 જાન્યુઆરી 1955 થી 7 માર્ચ 1961 સુધી કુલ 6 વર્ષ અને 56 દિવસ આ પદ પર સેવા આપી હતી. ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે 1,218 દિવસ (15 ઓગસ્ટ 1947 થી 12 ડિસેમ્બર 1950) ગૃહમંત્રી તરીકે સેવા આપી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યકાળ અત્યાર સુધી બોલ્ડ અને ઐતિહાસિક નિર્ણયોથી ભરેલો રહ્યો છે. તેમના કાર્યકાળ દરમિયાન, આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવા તરફ પગલાં લેવામાં આવ્યા હતા. ઐતિહાસિક નિર્ણયોમાં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવી, દેશમાં નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) લાગુ કરવો, નવો ફોજદારી ન્યાય કાયદો, ઉપરાંત ડાબેરી ઉગ્રવાદ અને નક્સલવાદને નાબૂદ કરવા માટે અનેક મહત્વપૂર્ણ કામગીરીનો સમાવેશ થાય છે.
ગૃહ મંત્રાલય ઉપરાંત, તેઓ દેશના પ્રથમ સહકારી મંત્રી પણ છે. આ પહેલા, અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે. જોગાનુજોગ અમિત શાહે 5 ઓગસ્ટના રોજ સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી તરીકે સેવા આપવાની સિદ્ધિ મેળવી હતી. 2019માં 5 ઓગષ્ટે તેમણે સંસદમાં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. આ પછી, જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત થયો હતો.
-IANS

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.