દુકાનદારનો AMCની કાર્યવાહી સામે આત્મદાહનો પ્રયાસ
જશોદાનગરમાં AMC તોડફોડથી ઉશ્કેરાયેલા વેપારીઓએ કરી રેલી અને પથ્થરમારો
જશોદાનગરમાં ઉશ્કેરાયેલા વેપારીઓએ કરી રેલી
જશોદાનગરમાં ઉશ્કેરાયેલા વેપારીઓએ કરી રેલી
શહેરમાં ચાલતી ગેરકાયદે બાંધકામ તોડવાની ઝુંબેશ વચ્ચે, જશોદાનગરના પુનિતનગર રેલવે ફાટક પાસે મોડી સાંજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર દુકાનો તોડવાની કાર્યવાહી દરમિયાન, 'ભાગ્યદેવ કરિયાણા' નામની દુકાનના માલિક નર્મદાબેન કુમાવતે વિરોધમાં અગ્નિસ્નાનનો પ્રયાસ કર્યો.
AMCની ટીમ JCB મશીન સાથે પહોંચી અને દુકાન તોડવાનું શરૂ કરતા જ નર્મદાબેન કુમાવતે પોતાની જાત પર કેરોસીન છાંટી આત્મદાહનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેમના પરિવારના અન્ય સભ્યોએ પણ આત્મહત્યાની કોશિશ કરી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી નર્મદાબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.
#Ahmedabad: જશોદાનગરમાં @AmdavadAMC ની ટીમ પર પથ્થરમારો
— Benefit News 24 (@BenefitNews24) August 14, 2025
દુકાન તોડતા મહિલા દુકાન માલિકે કર્યું અગ્નિસ્નાન
પરિવારના અન્ય સભ્યોએ પણ આત્મદાહની કરી કોશિશ
આસપાસના વેપારીઓએ રેલી યોજી @AmdavadAMC સામે નોંધાવ્યો વિરોધ
વેપારીઓને રોષના પગલે સમગ્ર વિસ્તારમાં ગોઠવવામાં આવ્યો પોલીસ… pic.twitter.com/5sUlQmnBva
વેપારીઓની રેલી અને પોલીસ પર પથ્થરમારો :
આ ઘટનાથી ઉશ્કેરાયેલા સમસ્ત વેપારીઓએ તેમની દુકાનો બંધ કરી દીધી હતી. વેપારીઓનું ઝુંડ AMC વિરુદ્ધ રોષ વ્યક્ત કરવા અને રજૂઆત કરવા માટે વટવા GIDC પોલીસ સ્ટેશન તરફ રેલી સ્વરૂપે નીકળ્યો હતો. આ ઘટનાની ગંભીરતા જોતા પોલીસનો દસથી વધુ ગાડીઓનો કાફલો બંદોબસ્ત માટે પહોંચ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ઉગ્ર બનેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.
આ બનાવ ફરી એકવાર શહેરના ગેરકાયદેસર બાંધકામો અને તેને હટાવવાની AMCની કાર્યવાહીની પદ્ધતિ પર સવાલ ઉઠાવે છે. AMCના અધિકારીઓનું કહેવું છે કે, આ દુકાનો ગેરકાયદેસર રીતે દબાણ કરીને બનાવવામાં આવી હતી. જોકે, દુકાનદારોનો આરોપ છે કે તેમને પૂરતી નોટિસ કે વૈકલ્પિક વ્યવસ્થા વગર જ આ કાર્યવાહી કરવામાં આવી છે જેના કારણે તેમને ભારે નુકસાન થયું છે. આ મામલે પોલીસ દ્વારા હવે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો