દાદરા નગર હવેલીમાં સામૂહિક આપઘાત
સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળ્યા
સામૂહિક આપઘાત
સામૂહિક આપઘાત
દાદરા અને નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં એક પિતાએ પોતાના બે દિવ્યાંગ બાળકો સાથે આત્મહત્યા કરી છે. મૃતકોમાં પિતા સુનિલ ભેકરે, તેમનો પુત્ર જય અને પુત્રી આર્યાનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેના આધારે પોલીસ આ સામૂહિક આત્મહત્યા પાછળના કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે કે બંને બાળકો દિવ્યાંગ હતા, અને સંભવતઃ તેના કારણે જ પરિવારે આ અંતિમ પગલું ભર્યું હોય.
આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં ચિંતા જગાવી છે. થોડા સમય પહેલા સુરતમાં પણ આવી જ એક કરુણ ઘટના બની હતી, જેમાં એક પિતાએ પોતાના સંતાનો સાથે આત્મહત્યા કરી હતી. આ પ્રકારની ઘટનાઓ દર્શાવે છે કે માનસિક સ્વાસ્થ્ય અને કૌટુંબિક તણાવ જેવા મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.
(વધુ માહિતી અપડેટ થઈ રહી છે)

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો