ગઢડા ગોપીનાથજી દેવમંદિરના રૂમમાંથી જુગારધામ ઝડપાયુ
ઉતારા વિભાગના પાંચમા માળે રૂમ નંબર 509માં મંદિરના પાર્ષદ સહિત 8 લોકો જુગાર રમતાં હતાં
પોલીસે રૂપિયા 1.10 લાખની રોકડ સાથે રૂપિયા 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી
પોલીસે રૂપિયા 1.10 લાખની રોકડ સાથે રૂપિયા 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી
ગઢડાનું ગોપીનાથજી દેવ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. ગોપીનાથજી દેવ મંદિરમાંથી જુગારધામ ઝડપાયું છે. ઉતારા વિભાગના પાંચમા માળે રૂમ નંબર 509માં જુગાર રમી રહેલાં આઠ જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. જેમાં મંદિરનો પાર્ષદ હરીકૃષણ વાઘ ઉર્ફે હરીકૃષણ ગુરુ છત્રભુજદાસજી સ્વામી પણ ઝડપાયો છે. તે બહારના માણસોને બોલાવી જુગાર રમતો હતો.
પોલીસે રેડ કરી રૂપિયા 1,10,850 રોકડ રકમ તેમજ રૂપિયા 60 હજારના આઠ મોબાઈલ મળી રૂપિયા 1,70,850 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હરિકૃષ્ણ ગભરૂભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરિકૃષ્ણ ગુરૂ છત્રભુજદાસજી સ્વામી(રહે.ગઢડા જૂના મંદિર) જિજ્ઞેશ કાવઠિયા(બાબરા) રાજેશભાઈ સાવલિયા, લાલજી વાઘેલા, પરેશ જોગાણી, કેવલ કાવઠિયા(અમરાપર), પંકજ કાવઠિયા, પૂર્વેશ જોગાણી(અમરેલી)ને જુગાર રમતાં રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તમામ જુગારીયાની અટકાયત કરી ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

ગોપીનાથજી મંદિરના ચેરમેને ઘટનાને વખોડી
ગોપીનાથજી દેવ મંદિરના ચેરમેન હરિજીવનદાસ સ્વામીએ જણાવ્યું કે, તહેવારના દિવસોમાં હરિભક્તો વ્યવસ્થામાં હતા. તેથી હરિભક્તે તેનો લાભ લીધો હતો. પાર્ષદ હરીકૃષણ ભગત પોતાના આવાસમાં બારણું બંધ કરીને જુગાર રમતા હતા. પોલીસ રેડમાં બહાર આવ્યું. મંદિર પણ ભગત સામે સંસ્થાકીય પગલા લેશે. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. આવા લોકો સામે કડક પગલા લેવાવા જોઈએ. આ પાર્ષદ ભગત અમારા ગૃપ કે પક્ષનો માણસ નથી. તે જૂના આચાર્ય પક્ષનો માણસ છે. આ ભગત એસપી સ્વામીના રૂમમાં જમે છે. તે આવા લોકોને પ્રોત્સાહન આપે છે. જે સંપ્રદાય અને સંસ્થા માટે દુઃખદ બાબત કહેવાય.
ગોપીનાથજી દેવ મંદિરની ધજાને શરમ લાગે તેવું કૃત્યઃ સ્વામી ઘનશ્યામદાસ
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં જુગાર રમવા મામલે આચાર્ય પક્ષના શાસ્ત્રી ઘનશ્યામ દાસે ઘટનાને ગોપીનાથજી દેવ મંદિરની ધજાને શરમ લાગે તેવું કૃત્ય ગણાવ્યું છે. તેમણે હરિજીવનદાસને નિશાને લઈ કહ્યું કે, તેઓ હંમેશા છટકવાને લઇ અમારા પર ખોટા આક્ષેપ કરતા હતા. જુગારમાં ઝડપાયેલા પાર્ષદ સાથે આચાર્ય પક્ષને કોઈ લેવાદેવા નથી. ઘનશ્યામદાસે હરિજીવન સ્વામીને ત્રણ દિવસમાં જાહેરમાં ચર્ચા કરવાનું અલ્ટીમેટમ આપી જણાવ્યું કે, મંદિરના પટાંગણમાં સત્સંગ સમાજ તેમજ મીડિયાની હાજરીમાં ચર્ચા કરે. જાહેર ચર્ચામાં એસપી સ્વામી અને હું ચર્ચા કરવા માટે તૈયાર છીએ.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો