શાસ્ત્રીનગરમાં યુવતીનો આપઘાત
શાસ્ત્રીનગરના સરદાર પટેલ આવાસના 14મા માળેથી કૂદી યુવતીએ જીવન ટૂંકાવ્યું
યુવતીનો આપઘાત
યુવતીનો આપઘાત
અમદાવાદના શાસ્ત્રીનગરમાં આવેલા સરદાર પટેલ આવાસ યોજનામાં એક કરુણ ઘટના બની છે. 14મા માળેથી કૂદીને એક યુવતીએ જીવનનો અંત આણ્યો હતો. આ યુવતીએ શા માટે આ પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી, અને પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે.
ઘટનાની જાણ થતાં જ ઘાટલોડિયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ યુવતી આવાસમાં રહેતી ન હતી, પરંતુ ક્યાંક અન્ય જગ્યાએથી આવી હતી. પોલીસે યુવતીની ઓળખ કરવા માટે તેના પર્સની તપાસ કરી, જેમાં મોબાઈલ ફોન અને અન્ય જરૂરી વસ્તુઓ મળી આવી છે, જેના આધારે વધુ તપાસ ચાલી રહી છે.
આવી ઘટનાઓ અમદાવાદ શહેરમાં સતત વધી રહી છે, જે ચિંતાનો વિષય છે. આ પાછળ કયા કારણો જવાબદાર છે તે શોધવું અને આત્મહત્યાના કિસ્સાઓ અટકાવવા માટેના પગલાં લેવા અત્યંત જરૂરી છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો