'ઉદયપુર ફાઇલ્સ' ફિલ્મ પર સેન્સર અને કાનૂની કટોકટી
કન્હૈયા લાલ હત્યાકાંડ પર આધારિત ફિલ્મને 150 કટ અને કોર્ટ કેસનો સામનો

ફિલ્મ પર સેન્સર બોર્ડની કાતર

ફિલ્મ પર સેન્સર બોર્ડની કાતર
જૂન 2022માં ઉદયપુરના સૌથી ચહલપહલવાળો રહેતો એવા હાથીપોળ વિસ્તારમાં કન્હૈયા લાલ તેમની દરજીની દુકાનમાં બે ચાકુધારી માણસોએ ઇસ્લામ વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટને સમર્થન આપવાના આરોપસર હત્યા કરી હતી, આ ઘટનાએ સમગ્ર દેશમાં હડકંપ મચાવી દીધો હતો. દરજી કન્હૈયા લાલની મોહમ્મદ રિયાઝ અટારી અને ગૌસ મોહમ્મદ દ્વારા ગળું કાપીને ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. આ સત્ય ઘટના પર આધારિત એક ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' બનાવવામાં આવી છે.
અમિત જાની દ્વારા નિર્મિત ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ'માં વિજય રાઝ કન્હૈયા લાલની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અન્ય કલાકારો જેવા કે રજનીશ દુગ્ગલ, પ્રીતિ ઝાંગિયાની, કમલેશ સાવંત, કાંચી સિંહ અને મુશ્તાક ખાન પણ છે. ઘણી મુશ્કેલીઓ પછી આ ફિલ્મ જુલાઇ 11એ સિનેમાઘરોમાં રજૂ થવાની હતી પરંતુ તે વધુ મુશ્કેલીમાં મુકાઇ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટ (CBFC)એ ફિલ્મમાં રહેલા ઘણા દ્રશ્યો પર કાતર ફેરવી છે. લગભગ 150 જેટલા દ્રશ્યો ઉપર કાતર ફેરવવામાં આવી છે.
ફિલ્મના દિગ્દર્શક ભરત શ્રીનાતે જણાવ્યું કે ''આ ફિલ્મમાં 150 કટ કર્યા છે. અમે ઓછામાં ઓછા બે મહિના સુધી સેન્સર બોર્ડ ઓફિસના ઘણા ચક્કર લગાવ્યા છે. આ ફિલ્મ કોઈ ધર્મ કે શ્રદ્ધા વિશે નથી પરંતુ તે વિચારધારા અને સત્ય વિશે છે. પહેલા તો, લોકો ફિલ્મ જોયા વિના તેમાં શું છે તે કેવી રીતે માની શકે? બીજું, મેં ફિલ્મ ભારતીય સેન્સર બોર્ડને સુપરત કરી છે, બીજા કોઈને નહીં. જે લોકો ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે તેઓ ફિલ્મ રિલીઝ થશે કે નહીં તે નક્કી કરશે નહીં. સેન્સર બોર્ડના પોતાના નિયમો અને શરતો, નિયમો અને નિયમનો છે. શું રાખવું કે દૂર કરવું, તે તેમનો નિર્ણય છે."
માત્ર સેન્સરશીપના મુદ્દાઓ જ નહીં, ઉદયપુર ફાઇલ્સ વાસ્તવિક જીવનની ઘટનાઓના કથિત ચિત્રણ માટે કાનૂની મુશ્કેલીમાં પણ મુકાઈ રહી છે. દિલ્હી હાઈકોર્ટ સમક્ષ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ દેશમાં સાંપ્રદાયિક તણાવ ભડકાવવા અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. આ અરજી પર આજે સુનાવણી થવાની શક્યતા છે. ઉદયપુર ફાઇલ્સનું નામ પહેલા જ્ઞાનવાપી ફાઇલ્સ: અ ટેલર્સ મર્ડર સ્ટોરી હતું . તે અગાઉ 27 જૂને રિલીઝ થવાની હતી. હવે ફિલ્મની આગળની સુનાવણી 10 જુલાઇ છે જેમાં ફિલ્મ વિશે વધુ વિગતો મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી

રોહિત શર્માનું ટીવી ડેબ્યૂ, ‘Family Full House With Rohit Sharma’ 19 સપ્ટેમ્બરથી શરૂ; જાણો શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.