ખાદ્યપદાર્થો મોંઘા થતા ફુગાવો વધ્યો; જુઓ આંકડા
ખોરાક અને કપડાંના ભાવ વધતા ફુગાવો વધ્યો; RBI ના વ્યાજદરમાં નહીં મળે રાહત?

ખાદ્યપદાર્થો મોંઘા થતા ફુગાવો વધ્યો

ખાદ્યપદાર્થો મોંઘા થતા ફુગાવો વધ્યો
ભારત સરકારના આંકડાશાસ્ત્ર મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી 2026 માટે ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો વધીને 3.21% નોંધાયો છે, જે જાન્યુઆરીમાં 2.75% હતો.
ઉલ્લેખનીય છે કે, સરકારે જાન્યુઆરીથી જ ફુગાવાની ગણતરી માટે નવો બેઝ વર્ષ (2024) લાગુ કર્યો છે, જેના કારણે જૂની સિરીઝ સાથે તેની સરખામણી થઈ શકે તેમ નથી
શા માટે વધી મોંઘવારી?
આંકડાઓ મુજબ, મુખ્યત્વે ખાદ્યપદાર્થો અને પીણાં, કપડાં તેમજ આવાસ અને ઉપયોગિતા સેવાઓના ભાવમાં થયેલા વધારાને કારણે ફુગાવામાં ઉછાળો જોવા મળ્યો છે. અર્થશાસ્ત્રીઓએ ફેબ્રુઆરીમાં ફુગાવો 3.1% રહેવાનો અંદાજ મૂક્યો હતો, પરંતુ વાસ્તવિક આંકડો અંદાજ કરતા થોડો વધારે રહ્યો છે.
જોકે ફુગાવો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના 2-6% ના લક્ષ્યાંકિત દાયરામાં જ છે, પરંતુ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેલ-ગેસના ભાવમાં વધારાની આશંકાને જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે આગામી એપ્રિલની પોલિસીમાં પણ વ્યાજદરમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં.
નવો ઇન્ડેક્સ અને ફેરફાર
સરકારે ફુગાવાના બાસ્કેટમાં ખાદ્યપદાર્થોનું વજન (Weightage) ઘટાડીને હવે 36.75% કર્યું છે, જે અગાઉ 45.86% હતું. આ ફેરફારને કારણે હવે ફુગાવાના આંકડામાં ખાદ્યપદાર્થોના ભાવમાં થતી ભારે વધઘટની અસર થોડી ઓછી જોવા મળશે અને આંકડા વધુ સ્થિર રહેશે.

ખાનગી વપરાશ અને રોકાણમાં તેજીને કારણે S&P ગ્લોબલ રેટિંગ્સનો નવો અંદાજ

2022-23 ના નવા બેઝ યર સાથે અર્થતંત્રની નવી છબી; ડિસેમ્બર ક્વાર્ટરમાં 7.8% વૃદ્ધિ

વિકસિત ભારત @ 2047ના વિઝનને વેગ આપવા વેન્ચર કેપિટલ ફંડમાં મોટું રોકાણ, સ્ટાર્ટઅપ્સને વેગ