ભારતનો સુરક્ષા ક્રાંતિ યુગ
ખાનગી ક્ષેત્રને મિસાઈલ અને ગોળા બનાવવાની મંજૂરીથી રક્ષણ સ્વાવલંબન તરફ દોડ

બ્રહ્મોસ મીસાઇલનો ટેસ્ટ ફાયર

બ્રહ્મોસ મીસાઇલનો ટેસ્ટ ફાયર
ભારતના રક્ષા મંત્રાલયે એક ઐતિહાસિક નિર્ણય લઇને ખાનગી ક્ષેત્ર માટે મિસાઇલ, ગોળા-બારૂદ અને હથિયાર નિર્માણનું દ્વાર ખોલ્યું છે. અત્યાર સુધી આ ક્ષેત્ર માત્ર સરકારી નિયંત્રણમાં હતું, પરંતુ હવે સુધારેલા નિયમો અંતર્ગત ખાનગી કંપનીઓ મોર્ટાર બોમ્બથી લઈને પિનાકા રૉકેટ સુધીનું ઉત્પાદન કરી શકશે.
આ પગલું માત્ર વ્યવસાયિક સ્વતંત્રતા નથી, પરંતુ તે રક્ષા સ્વાવલંબન (આત્મનિર્ભર ભારત) તરફ એક વ્યૂહાત્મક પરિવર્તન છે. લાંબા ગાળાના સંઘર્ષોમાં ભારત પાસે પૂરતો શસ્ત્ર સંગ્રહ રહે અને વિદેશી નિર્ભરતા ઘટે — તે જ આ નીતિનો મુખ્ય હેતુ છે.
સ્વતંત્રતા પછીથી ભારતીય રક્ષણ ઉદ્યોગ મુખ્યત્વે ઓર્ડનન્સ ફેક્ટરીઓ પર આધારિત રહ્યો છે, જે બ્રિટિશ યુગની વારસામાં મળી હતી. આજ સુધી આ ફેક્ટરીઓમાંથી અનેકને ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ (DPSU) તરીકે રૂપાંતરિત કરવામાં આવી છે. પરંતુ હવે ખાનગી ક્ષેત્રના પ્રવેશથી સ્પર્ધા, નવીનતા અને કાર્યક્ષમતા વધશે.
સરકારની ડિફેન્સ પ્રોડક્શન એન્ડ એક્સપોર્ટ પ્રમોશન પોલિસી 2020 મુજબ ભારતે 2025 સુધીમાં ₹1.75 લાખ કરોડનું રક્ષણ ઉત્પાદન અને ₹35,000 કરોડનું નિકાસ લક્ષ્ય નક્કી કર્યું છે. FY 2023–24 દરમિયાન ભારતે ₹21,083 કરોડની નિકાસ સાથે 30 ગણો ઉછાળો નોંધાવ્યો છે.
ખાનગી ક્ષેત્રના જોડાણથી હવે AI આધારિત સ્માર્ટ ગોળા, પ્રિસીજન મિસાઇલ્સ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીનું ઉત્પાદન શક્ય બનશે. L&T, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને ભારોત ફોર્જ જેવી કંપનીઓ HAL, BEL અને MDL જેવી સરકારી સંસ્થાઓ સાથે મળી ભારતીય રક્ષણ ઉત્પાદનને વૈશ્વિક સ્તરે લઈ જઈ શકે છે.
વિશ્વના રક્ષણ બજારમાં અમેરિકા, રશિયા, ચીન અને ફ્રાંસ હાવી છે, પરંતુ બ્રહ્મોસ જેવી સફળતા ભારતને નવા નિકાસ કેન્દ્ર તરીકે ઉભરાવવાનો માર્ગ દેખાડે છે. લખનઉ બ્રહ્મોસ ફેક્ટરી, જે દર વર્ષે 150 મિસાઇલ્સ બનાવી શકે છે, તે આ પરિવર્તનનું પ્રતીક છે.
આ સુધારો માત્ર નીતિગત નથી — તે ભારતના સુરક્ષા, કૌશલ્ય અને ઉદ્યોગ શક્તિનું સમન્વય છે. જો અમલીકરણ યોગ્ય રીતે થાય, તો “Made in India” શસ્ત્રો માત્ર સરહદો પર નહીં પરંતુ વિશ્વભરના યુદ્ધમૈદાનોમાં ગૂંજી ઉઠશે.

પરમાણુ શક્તિથી ચાલતું બ્યુરેવસ્તનિક, અદમ્ય અંતર અને રડાર ટાળવાની ક્ષમતા

વૈશ્વિક તણાવ વચ્ચે રશીયાની ત્રણેય પાખનો nuclear અભ્યાસ
છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સરહદ પર સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 2 નક્સલીઓને ઠાર કર્યા