અનોખું શિવલિંગ: જ્યાં પાર્વતી અને શિવ થાય છે એક
હિમાચલ પ્રદેશંમાં આવેલુ છે એક એવુ શિવલિંગ જે ભગવાન શિવ અને પાર્વતી બંને ને થે સમર્પિત
એક એવુ શિવલિંગ જેમાં છે શિવ પાર્વતીનો વાસ
એક એવુ શિવલિંગ જેમાં છે શિવ પાર્વતીનો વાસ
શ્રાવણ માસ સમાપ્ત થઈ રહ્યો છે, ત્યારે ભોલેનાથના ભક્તો માટે અમે એક એવા ચમત્કારિક મંદિરની વાત લઈને આવ્યા છીએ, જેની વાર્તા અને રહસ્ય તમને ચોક્કસ આશ્ચર્યચકિત કરશે. આ મંદિર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના કાઠગઢમાં આવેલું છે, જે તેની અનોખી વિશેષતાઓને કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.

આ મંદિરની સૌથી અદ્ભુત વાત એ છે કે અહીંનું શિવલિંગ બે ભાગમાં વહેંચાયેલું છે. એક ભાગને ભગવાન શિવનું અને બીજા ભાગને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. 8 ફૂટ ઊંચા આ શિવલિંગનો એક ભાગ 5.5 ફૂટનો છે, જે મહાદેવનું પ્રતીક છે, જ્યારે તેની બાજુનો નાનો ભાગ (1.5 ફૂટ) માતા પાર્વતીનું સ્વરૂપ છે.

આ શિવલિંગનું સૌથી મોટું રહસ્ય એ છે કે તેની બંને મૂર્તિઓ વચ્ચેનું અંતર ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે! ગરમીની ઋતુમાં બંને ભાગો અલગ થઈ જાય છે, જ્યારે શિયાળાની ઋતુમાં તેઓ એકબીજાની નજીક આવીને એક થઈ જાય છે. ભક્તો આ ઘટનાને શિવ અને પાર્વતીના અર્ધનારીશ્વર સ્વરૂપનું સાક્ષાત પ્રતીક માને છે, જે આસ્થા અને વિજ્ઞાન બંનેને એક કરે છે.
ઈતિહાસ અને પૌરાણિક કથાઓઆ મંદિરનો ઇતિહાસ શિવ પુરાણ સાથે જોડાયેલો છે. એક કથા અનુસાર, બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેના યુદ્ધને શાંત કરવા માટે શિવે આ જ જગ્યાએ સ્વયંભૂ શિવલિંગ તરીકે પ્રગટ થયા હતા. બીજી એક લોકકથા ગુર્જર સમુદાય સાથે સંબંધિત છે, જે મુજબ આ ચટ્ટાન પર દૂધની માટલીઓ રાખવાથી તે ઊંચી થવા લાગી હતી. આ ચમત્કાર બાદ રાજાએ અહીં મંદિર બનાવ્યું, અને શ્રાવણ માસમાં પૂજા કરવાથી તે શિવ અને પાર્વતીના રૂપમાં પ્રગટ થયું.

આ મંદિરનું નિર્માણ મહારાજા રણજીત સિંહે કરાવ્યું હતું, જેમણે તેને ભવ્ય રૂપ આપ્યું. તેઓ દર વર્ષે અહીં દર્શન માટે આવતા હતા અને આ મંદિરને હિન્દુ-શીખ સમાનતાનું પ્રતીક માનતા હતા. મંદિર પાસે એક પ્રાચીન કૂવો પણ છે, જેનું પાણી રોગનિવારક મનાય છે.

કાઠગઢનું આ મંદિર માત્ર એક પૂજાસ્થળ નથી, પરંતુ એક એવું સ્થાન છે જ્યાં પ્રકૃતિ, ધર્મ અને ઇતિહાસ એકસાથે જીવંત છે. અહીંથી દેખાતો નદી અને પહાડોનો નજારો ભક્તોના મનને શાંતિ આપે છે.

તંત્રની નિષ્ક્રિયતાથી લઈને વહીવટી બેદરકારી સુધી ઉઠ્યા અનેક સવાલો

VIP દર્શનની કોઈ પ્રથા નહીં બુકિંગ ફક્ત વેબસાઈટ પર જ કરવામાં આવશે

વડાપ્રધાન મોદીએ હરિદ્વાર કુંભ મેળા માટે ભંડોળ જાહેર કર્યું; સીએમ ધામીએ માન્યો આભાર