ઝોમેટો-સ્વિગી ડિલિવરી બોય્સને મળશે પેન્શન
ઝોમેટો-સ્વિગી ડિલિવરી બોય્સને મળશે પેન્શન અને વીમાનો લાભ, સરકારે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા

ગિગ વર્કર્સ માટે મોટા સમાચાર

ગિગ વર્કર્સ માટે મોટા સમાચાર
કેન્દ્ર સરકારે ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ (જેમ કે ઝોમેટો, સ્વિગી, ઉબર, ઓલા જેવી કંપનીઓના ડિલિવરી પાર્ટનર્સ અને ડ્રાઈવર્સ) માટે સામાજિક સુરક્ષાના નવા ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે. આ નિયમો સોશિયલ સિક્યોરિટી કોડ 2020 હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાં આરોગ્ય વીમો, જીવન વીમો, અકસ્માત વીમો તથા ભવિષ્યમાં પેન્શન જેવા લાભોનો સમાવેશ થાય છે.
લાભ મેળવવા માટેની પાત્રતા નવા ડ્રાફ્ટ નિયમો મુજબ, ગિગ વર્કર્સને લાભ મેળવવા માટે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા કામના દિવસો પૂરા કરવા પડશે:
કામના દિવસોની ગણતરીમાં છૂટછાટ એક દિવસમાં થોડું પણ કામ કરીને કમાણી થાય તો તેને આખો દિવસ ગણવામાં આવશે. જો એક જ દિવસે અલગ-અલગ કંપનીઓ માટે કામ કરે તો તેટલા દિવસો ગણાશે (દા.ત. ત્રણ કંપનીઓ માટે કામ કરે તો ત્રણ દિવસ). આનાથી મલ્ટીપલ એપ્સ પર કામ કરનારાઓને ઝડપથી પાત્રતા પૂરી કરવામાં સરળતા રહેશે.
ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન અનિવાર્ય લાભ મેળવવા માટે દરેક ગિગ વર્કરે ઈ-શ્રમ પોર્ટલ (e-Shram) પર આધાર આધારિત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન પછી ડિજિટલ આઈડેન્ટિટી કાર્ડ (ફોટા સાથે) મળશે. વર્કર્સે સમયાંતરે સરનામું, મોબાઈલ નંબર અને સ્કિલ્સ જેવી માહિતી અપડેટ કરતા રહેવું પડશે, નહીં તો લાભથી વંચિત રહી શકે છે.
કંપનીઓની જવાબદારી ઝોમેટો, સ્વિગી જેવી એગ્રીગેટર કંપનીઓએ પોતાના વર્કર્સની વિગતો સરકારી પોર્ટલ પર અપલોડ કરવી પડશે. ભવિષ્યમાં પેન્શન માટે કંપનીઓ અને વર્કર્સ બંનેનું યોગદાન હશે.
હાલના અપડેટ્સ (3 જાન્યુઆરી 2026 સુધી) આ ડ્રાફ્ટ નિયમો 30 ડિસેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવ્યા છે અને હવે પબ્લિક ફીડબેક માટે ખુલ્લા છે. અંતિમ નિયમો માર્ચમાં જાહેર થઈ શકે છે અને 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. રજીસ્ટર્ડ વર્કર્સને આયુષ્માન ભારત હેઠળ આરોગ્ય સુવિધા

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.