ઉત્તરાખંડમાં નદીઓ બની તોફાની, જનજીવન અસ્તવ્યસ્ત
ઉત્તરાખંડમાં ફરી એકવાર ભારે વરસાદે તબાહી મચાવી છે, જેના કારણે સેંકડો રસ્તાઓ બંધ થઈ ગયા છે
ઉત્તરાખંડમાં તબાહી
ઉત્તરાખંડમાં તબાહી
ઉત્તરાખંડમાં ફરી એકવાર વરસાદ આફત બનીને વરસ્યો છે. છેલ્લા ચોવીસ કલાકથી સતત પડી રહેલા મૂશળધાર વરસાદને કારણે પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે રસ્તાઓનો સંપર્ક જ તૂટી ગયો નથી, પરંતુ નદીઓનું જળસ્તર પણ ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. રાજધાનીથી લઈને સરહદી જિલ્લાઓ સુધી સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
જનજીવન અસ્તવ્યસ્ત
રાજ્યભરમાં સતત વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘણા વિસ્તારોમાં લોકોને ઘરમાં જ કેદ રહેવું પડી રહ્યું છે, જ્યારે બીજી તરફ પહાડી વિસ્તારોમાં નદી કિનારે વસેલા ગામોમાં ભયનો માહોલ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આપત્તિ વ્યવસ્થાપન વિભાગે તમામ જિલ્લાના અધિકારીઓને એલર્ટ મોડ પર રહેવાના કડક નિર્દેશો આપ્યા છે.
બંધ થયેલા રસ્તાઓ નદીઓનું વધતું જળસ્તર
છેલ્લા કેટલાક કલાકોમાં વરસાદે પહાડોથી લઈને મેદાની વિસ્તારો સુધી હાહાકાર મચાવ્યો છે. પહાડોમાં સતત વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યું છે, જેના કારણે મેદાની જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના રિપોર્ટ અનુસાર, હાલમાં ઉત્તરાખંડમાં કુલ 111 રસ્તાઓ બંધ છે, જેમાં 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગો, 8 રાજ્ય ધોરીમાર્ગો, એક બોર્ડર રોડ, 41 PWDના રસ્તાઓ અને 56 પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના રસ્તાઓનો સમાવેશ થાય છે.
ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો
આ રસ્તાઓ બંધ થવાથી ગામડાઓનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે 1 જૂનથી અત્યારસુધીમાં 28 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને 8 લોકો હજુ પણ ગુમ છે. આ ઉપરાંત, સેંકડો મકાનોને નુકસાન થયું છે અને ઘણા લોકો ઘરવિહોણા બન્યા છે. આ આફતમાં માત્ર મનુષ્યો જ નહિ, પરંતુ પશુધનને પણ નુકસાન થયું છે, જેમાં 32 મોટા અને 62 નાના પશુઓના મોત થયા છે.
નદીઓની ભયજનક સપાટી
રાજ્યની તમામ મોટી નદીઓ હાલમાં ભયજનક સપાટીની ખૂબ નજીક વહી રહી છે. રુદ્રપ્રયાગમાં અલકનંદા અને મંદાકિનીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઉત્તરકાશીમાં ભાગીરથીનો પ્રવાહ તેજ બન્યો છે. ચમોલીમાં અલકનંદા, નંદાકિની અને પિંડર નદીનું જળ સ્તર સતત વધી રહ્યું છે. પિથોરાગઢમાં કાલી, ગૌરી અને સરયૂ નદીઓ ભયજનક સપાટી વટાવવાની અણી પર છે.
મંદિરની આસપાસના ઘાટનો પાણીમાં ગરકાવ
બાગેશ્વર અને ચંપાવતમાં પણ પરિસ્થિતિ ગંભીર છે, જ્યાં સરયૂ, ગોમતી અને શારદા નદીઓ નજીક રહેતા લોકોને ઘર ખાલી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. દેહરાદૂનમાં ટપકેશ્વર મંદિર પાસે વહેતી તમસા નદીનું જળસ્તર અચાનક એટલું વધી ગયું છે કે, મંદિરની આસપાસના તમામ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી છે અને સ્પષ્ટ કરી દીધું છે કે, કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહિ.
રાહત અને બચાવ કામગીરી
મુખ્યમંત્રીએ ફરી એકવાર જિલ્લાધિકારીઓને કડક નિર્દેશ આપ્યા છે કે, તમામ અધિકારીઓ પૂરી ટીમ સાથે જમીની સ્તરે હાજર રહે. નદીઓના જળસ્તરનું સતત નિરીક્ષણ કરવામાં આવે. જ્યાં પણ જોખમ હોય ત્યાં લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ સમયગાળા દરમિયાન કોઈ પણ અધિકારીનો મોબાઈલ બંધ ન થવો જોઈએ.
પ્રવાસીઓનો પ્રવેશ બંધ
તમામ પોલીસ મથકો અને ચોકીઓ સંપૂર્ણપણે તૈયાર રહે. અધિકારીઓને ટોર્ચ, હેલ્મેટ અને વરસાદી કોટ જેવી જરૂરી વસ્તુઓ સાથે રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આપત્તિની સ્થિતિમાં ફસાયેલા લોકોને તાત્કાલિક રાહત આપવામાં આવે, જેમાં ખાવા-પીવાથી લઈને દવાઓ સુધીની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. વધુમાં, ઊંચાઈવાળા વિસ્તારોમાં પ્રવાસીઓના પ્રવેશ પર રોક લગાવવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.