SC : સજા પૂરી કરનાર કેદીઓને તાત્કાલિક મુક્ત કરો
ગુજરાતની જેલોમાં સજા પૂરી થયા બાદ કોઈ કેદીને રાખવામાં આવતા નથી: જેલ મહાનિર્દેશકની સ્પષ્ટતા
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સજા પૂરી કરનાર કેદીઓને તાત્કાલિક મુક્ત કરો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સજા પૂરી કરનાર કેદીઓને તાત્કાલિક મુક્ત કરો
મંથન કુસુમકર, અમદાવાદ.
૧૨ ઓગસ્ટના રોજ, સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામા નીતિશ કટારા હત્યા કેસમાં દોષિત સુખદેવ યાદવ ઉર્ફે પહેલવાનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, જેના કારણે દેશભરમાં કાનૂની અને સામાજિક ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો હતો કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ખાતરી કરવી જોઈએ કે જે કેદીઓએ તેમની સજા પૂર્ણ કરી છે તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે, જો કે તેઓ અન્ય કોઈ કેસમાં દોષિત ન હોય. ચુકાદો ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને કે.વી. વિશ્વનાથનની બેન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે દિલ્હી સરકાર અને સજા સમીક્ષા બોર્ડ (SRB) ના વિલંબ પર કડક ટિપ્પણી કરી હતી. ચુકાદો માત્ર સુખદેવ યાદવના કેસને અસર કરતો નથી, પરંતુ દેશભરના કેદીઓના અધિકારો અને ન્યાયિક પ્રક્રિયા પર ઊંડી અસર કરશે.
અમદાવાદ જેલમાં 3944 કેદીઓ....
અમદાવાદની મધ્યસ્થ જેલમાં કોઈ બંદીવાનની સજા પુરી થઈ હોય અને તેને જેલમાં રાખવામાં આવ્યો હોય કે કેમ સમગ્ર મામલેગુજરાત રાજ્યના પોલીસ જેલ મહાનિર્દેશક કે એલ એન રાવ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલ ચુકાદો એ સર્વોપરી છે. જેલમાં બંદીવાન જયારે આવે તે સમયે જ તેની નિર્ધારિત કરેલી સજા પ્રમાણે જ તેને જેલમાં રાખવામાં આવે છે. જે બંદિવાનો અશિક્ષિત છે, તેમની કાયદાની સમજણ નથી તેમની માટે DLSA(ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી) અને SLSA(સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી) કામ કરતી હોય છે. DLSA સમયાંતરે બંદિવાનોને મળી અને તમને હક અને તેમની સમસ્યાઓ વગેરે બાબતે તેમને જાણ કરી અને યોગ્ય મદદ પુરી પાડતી હોય છે. જે બંદીવાન પાસે દંડ ભરવા કે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા પૂરતા પૈસા ન હોય તો તેવા સંજોગોમાં તેમને સરકારની યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે, જેમાં 50 હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે અને વકીલ પણ સરકાર તરફથી આપવામાં આવે છે. ગત વર્ષે 5 એવા કેદીઓની આર્થિક સહાય કરીને તેમની દંડની ચુકવણી પણ કરવામાં આવી હતી. સજા પૂર્ણ થયા બાદ બંદિવાનને જેલમાં રાખવામાં નથી આવતો.
જેલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા જાણવા મળ્યું કે જેલમાં કુલ 3944 બંદીવાન છે જેમાં દોષિત 1312 સુનાવણી હેઠળ 2484 છે અને મહિલા 148 છે. બંદીવાન સજા ભોગવવા જેલમાં આવે ત્યારથી સજા ભોગવીને જાય ત્યાં સુધીની સમગ્ર જવાબદારી જેલ તંત્રની હોય છે અને તેમાં ભૂલ થવાની કોઈ શક્યતા હોતી નથી.
શું હતો નીતિશ કટારા હત્યા કેસ મામલો ?
સુપ્રીમ કોર્ટે શોધી કાઢ્યું કે સુખદેવ યાદવે 9 માર્ચ, 2024 ના રોજ તેમની 20 વર્ષની સજા પૂર્ણ કરી હતી, જે તેમને 2002 ના નીતિશ કટારા હત્યા કેસમાં આપવામાં આવી હતી. કોર્ટે નોંધ્યું કે યાદવને માર્ચ 2024 માં તેમની સજા પૂર્ણ થઈ હોવા છતાં જેલમાં રાખવામાં આવ્યો હતો, જે ગેરકાયદેસર છે. યાદવ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ મૃદુલે દલીલ કરી હતી કે કોઈ માન્ય કારણ વગર 9 માર્ચ પછી તેમની કસ્ટડી લંબાવવી ખોટી હતી. કોર્ટે દલીલ સ્વીકારી અને કહ્યું કે સજા પૂર્ણ થયા પછી મુક્તિમાં વિલંબ જેલ પ્રશાસનની બેદરકારી દર્શાવે છે.કોર્ટે સૌપ્રથમ 29 જુલાઈ, 2025 ના રોજ યાદવની મુક્તિનો આદેશ આપ્યો હતો, પરંતુ સજા સમીક્ષા બોર્ડે તેમના આચરણને ટાંકીને તેના પર સ્ટે મૂક્યો હતો. કોર્ટે આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું, "કોર્ટના આદેશને કેવી રીતે અવગણી શકાય?" કોર્ટે સ્પષ્ટ કર્યું કે આજીવન કેદનો અર્થ એ નથી કે બાકીના કુદરતી જીવન માટે જેલમાં રહેવું, સિવાય કે સજામાં ખાસ શરતો હોય.તે જ સમયે, સુપ્રીમ કોર્ટે આ કેસને એક ઉદાહરણ બનાવ્યો અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો કે કોઈ પણ કેદી તેની સજા પૂર્ણ કર્યા પછી જેલમાં ન રહે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.