સંસદીય સમિતિમાં RBI ગવર્નરનો ખુલાસો: 2024–25માં 1.12 લાખ નકલી 500ની નોટો ઝડપાઈ
2024–25માં સૌથી વધુ નકલી નોટો રૂપિયા 500ની મળી આવી હોવાની RBI ગવર્નરની સંસદ સમિતિમાં કબૂલાત

RBI

RBI
સંસદીય નાણાં સમિતિ સામે તાજેતરમાં રજૂ થયેલા RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ 2024–25ના નાણાકીય વર્ષમાં કુલ 1.12 લાખ નકલી રૂપિયા 500ના નોટો ઝડપાયા હોવાની કબૂલાત કરી. આ જાણકારી ભાજપ સાંસદ ભર્તૃહરિ મહતાબની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આપવામાં આવી હતી. જોકે, RBIની મે 2025માં જાહેર થયેલા વાર્ષિક અહેવાલ પ્રમાણે આ આંકડો 1.18 લાખે પહોંચ્યો છે, જે 2023–24ની સરખામણીએ 37%થી વધુ છે. વર્ષ 2024–25માં 500ની નોટને સૌથી વધુ નકલી બનાવાયેલા ચલણ તરીકે ઓળખાવે છે.
મલ્હોત્રાએ જણાવ્યું કે, અન્ય મુદ્રાઓ જેમ કે, રૂપિયા 100ની 51,069 નોટ, રૂપિયા 200ની 32,660 નોટ અને રૂપિયા 2,000ની 3,508 નકલી નોટો મળી આવી છે. કુલ મળીને 2024–25માં 2.18 લાખ નકલી નોટો ઝડપાઈ હતી, જે 2023–24ના 2.23 લાખના આંકડાની સરખામણીએ થોડી ઓછી છે.
મહત્વપૂર્ણ છે કે, રૂપિયા 2,000ની નોટો હવે ચલણમાંથી બહાર છે, છતાં તેઓ કાનૂની દરજ્જો ધરાવે છે અને વપરાશ યોગ્ય છે - એમ પણ મલ્હોત્રાએ જણાવ્યું. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ ચર્ચા દરમિયાન એવી ભલામણ કરી કે, RBIએ માત્ર તેના મૂળ કાર્યક્ષેત્ર એટલે કે બેંકોના નિયમન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને બહુવિધ ભૂમિકાઓ ટાળવી જોઈએ.
સમિતિમાં ક્રિપ્ટોકરન્સી નિયમન અંગે પણ ચર્ચા થઈ હોવાની માહિતી છે, પરંતુ RBIના અભિપ્રાયની વિગત જાહેર કરાઈ નથી. સમિતિની આગામી બેઠક 23 અથવા 24 જુલાઈએ યોજાવાની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...