પ્રેમ બાઈસા કેસ: SIT તપાસમાં આર્થિક કૌભાંડની શંકા
મુખ્ય આરોપી કમ્પાઉન્ડર દેવી સિંહે સ્વીકાર્યું કે, તેણે સાધ્વીને એકથી વધુ ઈન્જેક્શન આપ્યા

પ્રેમ બાઈસા કેસ

પ્રેમ બાઈસા કેસ
જોધપુરના સાધ્વી પ્રેમ બાઈસાના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મૃત્યુના કેસે રાજસ્થાનમાં ખળભળાટ મચાવી દીધો છે. આ મામલે ગઠિત SITના વડા અને ACP છવી શર્માની આગેવાનીમાં થઈ રહેલી તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. સાધ્વી પ્રેમ બાઈસાના રહસ્યમય મૃત્યુના મુખ્ય આરોપી કમ્પાઉન્ડર દેવી સિંહે પોલીસ પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલતા જણાવ્યું છે કે, તેણે સાધ્વીને માત્ર એક જ ઈન્જેક્શન નહિ, પરંતુ એકથી વધુ ઈન્જેક્શન આપ્યા હતા. અત્યાર સુધી માત્ર 'ડેક્સોના' ઈન્જેક્શનની વાત જ સામે આવી રહી હતી, પરંતુ હવે દેવી સિંહે કબૂલાત કરી છે કે, તેણે અન્ય કેટલીક દવાઓ પણ શરીરમાં ઇન્જેક્ટ કરી હતી. હવે SIT એ બાબતની ઝીણવટભરી તપાસ કરી રહી છે કે, તે ઈન્જેક્શનમાં કયા પ્રકારનું સોલ્ટ હતું, તેની માત્રા કેટલી હતી અને તે કયા હેતુથી આપવામાં આવ્યા હતા. પોલીસ દેવી સિંહની મેડિકલ ડિગ્રી અને તેની સારવાર કરવાની સત્તા છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે.
નાણાકીય લેવડદેવડ કે 'મની ટ્રેલ' નો પત્તો લગાવ્યો
SIT ની તપાસ માત્ર તબીબી બેદરકારી પૂરતી મર્યાદિત નથી, પરંતુ પોલીસ આ કેસમાં આર્થિક પાસાને પણ ખૂબ ગંભીરતાથી જોઈ રહી છે. આશ્રમ સાથે જોડાયેલા તમામ સત્તાવાર બેંક ખાતાઓ અને આશ્રમના મુખ્ય વ્યક્તિઓના ખાનગી બેંક ખાતાઓની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેથી કોઈ શંકાસ્પદ નાણાકીય લેવડદેવડ કે 'મની ટ્રેલ' નો પત્તો લગાવી શકાય. ACP છવી શર્માએ સ્પષ્ટ કર્યું છે કે, સાધ્વી પ્રેમ બાઈસાના રહસ્યમય મૃત્યુના કેસમાં દરેક વ્યક્તિ હાલમાં શંકાના દાયરામાં છે અને જરૂર પડ્યે સાધ્વીના પિતાની પણ પૂછપરછ કરવામાં આવશે. તપાસ ટીમ તબીબી, આર્થિક અને સાંકળબદ્ધ પુરાવાઓને એકસાથે જોડી રહી છે જેથી સત્ય સામે આવી શકે.
પ્રેમ બાઈસા મૃત્યુના આ કેસમાં મોટું આર્થિક ષડયંત્ર
આ હાઈ-પ્રોફાઈલ કેસમાં સૌથી મહત્વની કડી હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ માનવામાં આવી રહ્યો છે. રિપોર્ટ આવવામાં હજુ 2થી 3 દિવસનો સમય લાગી શકે છે, જેનાથી સ્પષ્ટ થશે કે, મોતનું સાચું કારણ ઈન્જેક્શનનો ઓવરડોઝ હતો, કોઈ રિએક્શન હતું કે શરીરમાં અન્ય કોઈ ઝેરી તત્વ હાજર હતું. સાધ્વી પ્રેમ બાઈસાના રહસ્યમય મૃત્યુ બાદ આશ્રમના અનુયાયીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે પોલીસ ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે. કમ્પાઉન્ડર દેવી સિંહના ભૂતકાળ અને તેના આશ્રમ સાથેના સંબંધોની તપાસમાં પણ ચોંકાવનારા વળાંકો આવવાની શક્યતા છે. સાધ્વી પ્રેમ બાઈસાના મૃત્યુના આ કેસમાં મેડિકલ માફિયા કે કોઈ મોટા આર્થિક ષડયંત્રની ગંધ પોલીસને આવી રહી છે, જેની તપાસ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.