ભાજપના CMના પરિવારની કંપનીઓ અંગે CBI તપાસનો આદેશ
અરુણાચલના CMના પરિવારની કંપનીઓને સરકારી કોન્ટ્રાક્ટ મુદ્દે તપાસ કરવા સુપ્રીમકોર્ટનો આદેશ

સુપ્રીમકોર્ટ અને અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુની ફાઈલ તસવીર

સુપ્રીમકોર્ટ અને અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુની ફાઈલ તસવીર
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુના પરિવારની માલિકીની કંપનીઓને સરકારી કોન્ટ્રાક્ટ મામલે સુપ્રીમકોર્ટે તપાસના આદેશ કર્યા છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને જાણ કરવામાં આવી હતી કે છેલ્લા 10 વર્ષમાં અરુણાચલ પ્રદેશમાં આશરે ₹1,270 કરોડના સરકારી કોન્ટ્રાક્ટ અને વર્ક ઓર્ડર મુખ્યમંત્રી ખાંડુના પરિવાર સાથે જોડાયેલી ચાર કંપનીઓને આપવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે સોમવારે સીબીઆઈને મુખ્યમંત્રી પેમા ખાંડુના પરિવારની માલિકીની કંપનીઓને અરુણાચલ પ્રદેશમાં જાહેર કાર્યોના કોન્ટ્રાક્ટ આપવાના પ્રાથમિક તપાસ કરવાનો નિર્દેશ આપ્યો. કહ્યું કે 1 જાન્યુઆરી, 2015 થી 31 ડિસેમ્બર, 2025 સુધી રાજ્યમાં જાહેર કાર્યો, કરારો અને વર્ક ઓર્ડરની ફાળવણી અને અમલીકરણની તપાસ કરવા ન્યાયાધીશ વિક્રમ નાથની આગેવાની હેઠળની બેન્ચે આદેશ કર્યો છે.
બેન્ચે સીબીઆઈને 16 અઠવાડિયાની અંદર કોર્ટમાં તેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આદેશ જાહેર કરતા ન્યાયાધીશ નાથે કહ્યું, "સીબીઆઈ આ નિર્ણયની તારીખથી બે અઠવાડિયાની અંદર પ્રારંભિક તપાસ (PE) નોંધશે અને કાયદા મુજબ આગળ વધશે."
સુપ્રીમ કોર્ટે 17 ફેબ્રુઆરીએ આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન, કોર્ટને જાણ કરવામાં આવી હતી કે છેલ્લા 10 વર્ષમાં, અરુણાચલ પ્રદેશમાં આશરે ₹1,270 કરોડના સરકારી કોન્ટ્રાક્ટ અને વર્ક ઓર્ડર મુખ્યમંત્રી ખાંડુના પરિવાર સાથે જોડાયેલી ચાર કંપનીઓને આપવામાં આવ્યા હતા.
અરજી કરનાર NGO સેવ મોન રિજન ફેડરેશન અને વોલન્ટરી અરુણાચલ સેનાનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ પ્રશાંત ભૂષણે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલા સોગંદનામાનો ઉલ્લેખ કર્યો હતો અને દલીલ કરી હતી કે મુખ્યમંત્રીના પરિવારના સભ્યોની માલિકીની કંપનીઓને ઘણા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. રાજ્યના વકીલે અગાઉ દલીલ કરી હતી કે આ અરજી "પ્રાયોજિત મુકદ્દમો" હતો.
"હું નહીં ખાઉં, હું બીજાને ખાવા નહીં દઉં" એક છેતરપિંડીઃ કોંગ્રેસ
આ બાબતે કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે તે ખુલ્લું પડી ગયું છે કે "હું નહીં ખાઉં, હું બીજાને ખાવા નહીં દઉં" સૂત્ર સંપૂર્ણ છેતરપિંડી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો હતો કે ભાજપ શાસિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ લાઇનમાં છે. જેમાં "પૂર્વના ટૂંક સમયમાં જ બનનારા મુખ્યમંત્રી"નો સમાવેશ થાય છે. તેઓ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
જયરામ રમેશે X પર પોસ્ટ કર્યું કે, "સુપ્રીમ કોર્ટે તાજેતરમાં CBIને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીના પરિવારના સભ્યોને કથિત રીતે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટની પ્રારંભિક તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ તો માત્ર એક શરૂઆત છે. ભાજપ શાસિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ લાઇનમાં છે. જેમાં પૂર્વના ટૂંક સમયમાં બનનારા ભૂતપૂર્વ મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે."

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.