માઘ મેળામાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ
શંકરાચાર્ય પદના વપરાશ મુદ્દે મેળા ઓથોરિટીએ ૨૪ કલાકમાં ખુલાસો માંગતા ધાર્મિક વિવાદ વકર્યો

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
પ્રયાગરાજમાં આયોજિત માઘ મેળામાં મૌની અમાસના સ્નાન પર્વ દરમિયાન થયેલો વિવાદ હવે કાયદાકીય વળાંક લઈ રહ્યો છે. મેળા પ્રશાસને સ્વામી અવિમુક્તેશ્વરાનંદને એક સત્તાવાર નોટિસ પાઠવી છે. આ નોટિસમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સિવિલ અપીલનો હવાલો આપીને પૂછવામાં આવ્યું છે કે પદ અંગેનો મામલો ન્યાયાધીન હોવા છતાં તેમણે પોતાના નામની આગળ શંકરાચાર્ય શબ્દનો પ્રયોગ કેમ કર્યો છે.
પદના વપરાશ પર ઓથોરિટીનો આક્ષેપ :
મેળા ઓથોરિટીના જણાવ્યા અનુસાર, જ્યોતિષપીઠના શંકરાચાર્ય તરીકે પટ્ટાભિષેક કરવા બાબતે નામદાર સર્વોચ્ચ અદાલતે હજુ સુધી કોઈ આખરી આદેશ આપ્યો નથી. આવી સ્થિતિમાં કોઈ પણ ધર્માચાર્ય આ પદવી ધારણ કરી શકે નહીં. તેમ છતાં મેળા વિસ્તારમાં આવેલા શિબિરના બોર્ડ પર શંકરાચાર્ય લખવામાં આવ્યું હોવાથી ૨૪ કલાકમાં આ ભૂલ સુધારવા અને તેનું કારણ સ્પષ્ટ કરવા આદેશ અપાયો છે.

સંગમ તટે થયેલી અફરાતફરી :
મૌની અમાસના દિવસે જ્યારે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પાલખીમાં સવાર થઈને સંગમ સ્નાન માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસ પ્રશાસને તેમને રોક્યા હતા. સુરક્ષાના કારણોસર તે વિસ્તારને વાહન મુક્ત જાહેર કરાયો હોવાથી તેમને પગપાળા જવા વિનંતી કરવામાં આવી હતી. આ બાબતે શિષ્યો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. સ્વામીજીના અનુયાયીઓએ બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કર્યો હોવાના અને વહીવટી તંત્રે બળપ્રયોગ કર્યો હોવાના આક્ષેપો પ્રતિ-આક્ષેપો થઈ રહ્યા છે.
પ્રશાસન અને સાધુ સંતો વચ્ચે ગજગ્રાહ :
વહીવટી તંત્રના મતે, કોઈપણ પૂર્વ મંજૂરી વિના મોટી સંખ્યામાં શિષ્યો સાથે પાલખી લાવવી એ પરંપરાની વિરુદ્ધ હતું અને તેનાથી સામાન્ય ભક્તોને અસુવિધા થઈ હતી. બીજી તરફ, પોલીસના ગેરવર્તનથી નારાજ થઈને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મેળા વિસ્તારમાં જ ધરણા પર બેસી ગયા છે. આ ઘટનાને કારણે માઘ મેળાનું વાતાવરણ હાલ તંગ જણાઈ રહ્યું છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.