સોલનમાં ભીષણ આગ, એક બાળકી સહિત અનેક લોકો ગુમ
સોલન જિલ્લાના અરકી બજારમાં લાગેલી આગમાં અનેક મકાનો ખાખ, ૮ લોકો હજુ પણ લાપતા હોવાની આશંકા

સોલન આગ દુર્ઘટના

સોલન આગ દુર્ઘટના
હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. રવિવારે મોડી રાત્રે અરકી બજારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં ૮ વર્ષની એક નિર્દોષ બાળકીએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય ૭ થી ૮ લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુમ થયેલા લોકોમાં બે મહિલાઓ, બે પુરુષો અને ચાર બાળકોનો સમાવેશ થાય છે.
રહેણાંક મકાનથી શરૂ થયેલી આગ બજારમાં ફેલાઈ :
પ્રાપ્ત વિગતો અનુસાર, આગની શરૂઆત રાત્રે અઢી વાગ્યાની આસપાસ એક રહેણાંક મકાનમાંથી થઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આસપાસની દુકાનો તેમજ અન્ય ઈમારતોને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આ દુર્ઘટનામાં ૬ થી વધુ મકાનો અને અનેક દુકાનો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે.
સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગ વધુ વિકરાળ બની :
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, આગ લાગ્યા બાદ ઘરોમાં રાખેલા એલપીજી સિલિન્ડરોમાં ધડાકા થવા લાગ્યા હતા, જેના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હતી. સિલિન્ડર વિસ્ફોટના કારણે ફાયર ફાઈટરોને પણ આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા.
બચાવ કામગીરી અને તપાસ :
ફાયર વિભાગ અને પોલીસની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય સંજય અવસ્થીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. હાલમાં ગુમ થયેલા લોકોની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ ભીષણ આગને કારણે અનેક પરિવારોએ પોતાનું આશરો અને જીવનભરની કમાણી ગુમાવી દીધી છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.