નજીવી બાબતે પોલીસે મરેલા લાફાથી માસૂમ બેહોશ!
યુપીમાં મોટરસાઇકલમાં હવા ભરવાની ના પાડતા કોન્સ્ટેબલે બાળક પર હાથ ઉગામતા ગ્રામજનોમાં રોષ..

પોલીસે મરેલા લાફાથી માસૂમ બેહોશ

પોલીસે મરેલા લાફાથી માસૂમ બેહોશ
ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના બિલ્સી વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલની અમાનવીયતા સામે આવી છે. તપાસ માટે ગામમાં પહોંચેલા આરક્ષીએ રમત-રમતમાં વ્યસ્ત 6 વર્ષના માસૂમ બાળકને જોરદાર લાફો ઝીંકી દેતા બાળક ઘટનાસ્થળે જ બેભાન થઈને ઢળી પડ્યો હતો.
આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને સેંકડો લોકોએ રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન સાથે ચક્કાજામ સર્જ્યો હતો. એક નાનકડી બાબત પર પોલીસની માસૂમ આમ તૂટી પડવું અમાનવીય અને અયોગ્ય છે.
ઘટનાની વિગતો મુજબ, બાંસ બરૌલિયા ગામમાં એક ફરિયાદની તપાસ માટે બે પોલીસકર્મીઓ પહોંચ્યા હતા. આરોપ છે કે, તપાસ દરમિયાન કોન્સ્ટેબલ વિકાસ યાદવે રાજપાલ નામના વ્યક્તિના 6 વર્ષના પુત્ર આયુષને મોટરસાઇકલમાં હવા ભરવા કહ્યું હતું. બાળકે નિર્દોષતાથી જવાબ આપ્યો કે, "પપ્પા ઘરે નથી એટલે હવા નહીં ભરી શકાય." આ સાંભળી ઉશ્કેરાયેલા કોન્સ્ટેબલે માસૂમ બાળકને ગાલ પર જોરદાર તમાચો મારી દીધો હતો, જેના આઘાતથી બાળક બેભાન થઈ ગયું હતું.
આ ઘટનાની જાણ થતા જ આખું ગામ હિલોળે ચઢ્યું હતું અને વજીરગંજ-બિલ્સી માર્ગને પૂરેપૂરો બ્લોક કરી દીધો હતો. પરિસ્થિતિ વણસતી જોઈ એસપી ગ્રામીણ (SPRA) ડો. હિરદેશ કઠેરિયા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મામલાની ગંભીરતાને પારખીને એસપી ગ્રામીણે તાત્કાલિક અસરથી આરોપી કોન્સ્ટેબલ વિકાસ યાદવને સસ્પેન્ડ કરી દીધો છે.
અધિકારીઓએ ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું કે બાળકો સાથે આવું અશોભનીય વર્તન જરાય સહન કરવામાં આવશે નહીં. હાલ આ સમગ્ર મામલાની તપાસ સીઓ બિલ્સીને સોંપવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર પોલીસની સામાન્ય જનતા અને ખાસ કરીને બાળકો પ્રત્યેની સંવેદનશીલતા પર મોટા સવાલો ઉભા કર્યા છે.
સ્થાનિક નેતાઓએ પણ પીડિત પરિવારની મુલાકાત લઈ દોષિત પોલીસકર્મી સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી હતી જેના લીધે વિકાસ યાદવને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.