10 કરોડથી વધુ મહિલાઓના સર્વાઈકલ કેન્સરની તપાસ
ભારતમાં 10.18 કરોડથી વધુ 30 વર્ષથી વધુ ઉંમરના મહિલાઓની સર્વાઈકલ કેન્સર માટે તપાસ થઈ

સર્વાઈકલ કેન્સર

સર્વાઈકલ કેન્સર
સરકાર ભારતમાં સર્વાઈકલ કેન્સર અને તેનાથી થતા મૃત્યુને રોકવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સંસદના ચોમાસા સત્ર દરમિયાન, સરકારે માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં ભારતમાં સર્વાઇકલ કેન્સર અને તેનાથી થતા મૃત્યુને રોકવા માટે દેશભરમાં 10.18 કરોડથી વધુ મહિલાઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.
આ પરીક્ષણ આયુષ્માન આરોગ્ય મંદિરો (AAM)માં કરવામાં આવ્યું હતું, જે સરકાર દ્વારા શરૂ કરાયેલા આરોગ્ય કેન્દ્રો છે.
તમને જણાવી દઈએ કે વિશ્વભરમાં સર્વાઈકલ કેન્સરથી થતા 25 ટકા મૃત્યુ ભારતમાં થાય છે, તેનું મુખ્ય કારણ મોડેથી માહિતી મળવી અને પછી મોડી સારવાર શરૂ કરવી છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું હતું કે, 20 જુલાઈ સુધીમાં, રાષ્ટ્રીય NCD પોર્ટલના ડેટા દર્શાવે છે કે ભારતમાં 30 વર્ષ અને તેથી વધુ ઉંમરની કુલ 25.42 કરોડ મહિલાઓ છે જેમને કેન્સર માટે સ્ક્રીનીંગ કરવાની જરૂર છે. અત્યાર સુધીમાં, 10.18 કરોડ મહિલાઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું, "આ આંકડા દર્શાવે છે કે સરકાર આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા લોકોને રોગની રોકથામ અને સ્ક્રીનીંગની સુવિધા પૂરી પાડી રહી છે."
આ સિદ્ધિ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ એક મોટા કાર્યક્રમનો ભાગ છે, જે દેશની સમગ્ર વસ્તી માટે ચલાવવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય રોગની સ્ક્રીનીંગ, નિવારણ અને સારવાર કરવાનો છે. જાધવે લોકસભામાં જણાવ્યું હતું કે, "આ યોજના 30થી 65 વર્ષની વયની મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે VIA (એસિટિક એસિડ સાથે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન) નામની સરળ અને સસ્તી સ્ક્રીનિંગ પદ્ધતિ દ્વારા પરીક્ષણ કરવામાં આવે છે.
આ પરીક્ષણ આયુષ્માન આરોગ્ય મંદિરો હેઠળ સ્થાપિત પેટા-આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) પર કરવામાં આવે છે. જો કોઈ મહિલાનો રિપોર્ટ VIA પોઝિટિવ આવે છે, તો તેને મોટી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવે છે જ્યાં તેનું વધુ પરીક્ષણ અને સારવાર કરવામાં આવે છે.''
સરકારે ગામડાઓ અને નાના વિસ્તારોમાં સર્વાઈકલ કેન્સરને રોકવા માટે આશા કાર્યકરોનો પણ સામેલ કર્યા છે, જેઓ ઘરે ઘરે જઈને મહિલાઓને પરીક્ષણો વિશે જાગૃત કરે છે અને તેમને પરીક્ષણ કરાવવામાં મદદ કરે છે જેથી સમયસર રોગ શોધી શકાય અને અટકાવી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...