એમ. કરુણાનિધિના પુત્ર એમ.કે. મુથુનું નિધન
તમિલનાડુના પૂર્વ CM કરુણાનિધિના પુત્ર અને સ્ટાલિનના મોટા ભાઈ એમ.કે. મુથુનું નિધન

એમ.કે. મુથુ

એમ.કે. મુથુ
તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને દ્રવિડ મુનેત્ર કળગમ (DMK)ના નેતા એમ. કરુણાનિધિના મોટા પુત્ર એમ.કે. મુથુનું શનિવારે સવારે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાતા હતા અને આજે તેઓએ ચેન્નાઈ સ્થિત પોતાના નિવાસ પર અંતિમ શ્વાસ લીધા. એમ.કે. મુથુના નિધનથી તમિલનાડુમાં શોકની લાગણી વ્યાપી છે.
તેમના નિધન પછી DMK દ્વારા તમામ સત્તાવાર કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અને તેમના નાના ભાઈ એમ.કે. સ્ટાલિને એક ભાવુક પોસ્ટ દ્વારા દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, “મારા માતા-પિતાની જેમ પ્રેમ આપનારા ભાઈના નિધનથી હું ખૂબ દુઃખી છું. તેઓ અમારા પરિવારનો પાયો હતા.”
સ્ટાલિને વધુમાં જણાવ્યું કે, તેમના પિતાએ મુથુનું નામ તેમના દાદા મુથુવીરણના નામ પરથી રાખ્યું હતું. મુથુ બાળપણથી જ નાટકોના માધ્યમથી દ્રવિડ આંદોલન સાથે જોડાયા હતા. તેઓ એક બહુગુણિયો વ્યક્તિત્વ ધરાવતા હતા અને તેમણે તમિલ ફિલ્મો, સંગીત તેમજ રાજકારણમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
મુથુએ 1972માં 'પિલ્લાયો પિલ્લાય' ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી જેમાં તેમણે દ્વિભૂમિકા ભજવી હતી. બાદમાં તેઓ પુક્કારી, અનાયા વિલક્કુ અને એલલમ અવલે જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. તેમની સ્ક્રીન હાજરી અને એમ.જી. રામચંદ્રન જેવી શારીરિક ભાતૃત્વતાએ તેમને લોકપ્રિય બનાવ્યા હતા.
ફક્ત અભિનય નહીં પરંતુ મુથુ એક સારા પ્લેબેક સિંગર પણ હતા. તેમની ફિલ્મ ‘અનાયા વિલક્કુ’નું ગીત ‘ઉયારંધા ઈદાતીલ પિરંધવન નાન’, જેને ચેન્નાઈના અન્ના નગર ઘડિયાળ ટાવર પર ફિલ્માવવામાં આવ્યું હતું, આજે પણ ફિલ્મી સંગીતપ્રેમીઓમાં લોકપ્રિય છે.
મુથુની રાજકીય કારકિર્દી લાંબી ન રહી, છતાં તેઓ જીવનભર દ્રવિડ વિચારધારા સાથે વફાદાર રહ્યા હતા. તેમના પિતા કરુણાનિધિના રાજકીય વારસાની તેમનાં ઉપર ઘનિષ્ઠ અસર રહી હતી.
મુથુનો પાર્થિવ દેહ લોકોના અંતિમ દર્શન માટે તેમના પિતા કરુણાનિધિના ચેન્નાઈના ગોપાલપુરમ સ્થિત નિવાસે રાખવામાં આવશે. મુથુ કરુણાનિધિ અને તેમની પ્રથમ પત્ની પદ્માવતીના પુત્ર હતા.
ભાજપના ધારાસભ્ય નૈનાર નાગેન્થિરને પણ એમ.કે. મુથુના નિધન પર શોક વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું કે, “મુથુના નિધનના સમાચાર સાંભળી મને આઘાત લાગ્યો છે. હું તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને પ્રભુએ તેમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું.”
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...