કિશ્તવાડ દુર્ઘટના: 65ના મોત, 100થી વધુ ગુમ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાની દુર્ઘટનામાં 65 લોકોના મૃતદેહ મળ્યા, 100થી ગુમ
કિશ્તવાડ દુર્ઘટના
કિશ્તવાડ દુર્ઘટના
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં 14 ઓગસ્ટના રોજ બપોરે 12:30 વાગ્યે વાદળ ફાટવાની ઘટનાએ ભારે વિનાશ સર્જ્યો છે. આ દુર્ઘટના ચસોટી ગામમાં બની, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ હાજર હતા. પહાડ પરથી આવેલા પાણી અને કાદવના કાટમાળમાં અત્યાર સુધીમાં 65 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો હજુ પણ ગુમ છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે, શ્રદ્ધાળુઓની બસો, તંબુઓ, અને દુકાનો બધું જ પાણીના પ્રવાહમાં તણાઈ ગયું.
દુર્ઘટના બાદ તરત જ NDRFની ટીમ, સેના, પોલીસ અને SDRFની ટીમો બચાવ અને રાહત કાર્યમાં લાગી ગઈ. અત્યારસુધીમાં 167 લોકોને બચાવી લેવાયા છે, જેમાંથી 38ની હાલત ગંભીર છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ ટીમો ગુમ થયેલા લોકોની શોધખોળમાં સતત કાર્યરત છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ આશંકા વ્યક્ત કરતાં કહ્યું કે, "મને લાગે છે કે કાટમાળમાં 500થી વધુ લોકો દટાયેલા છે." જ્યારે તેમની પાર્ટીના એક સભ્યએ તો 1000 લોકો દટાયેલા હોવાનો પણ દાવો કર્યો છે.
કાટમાળમાંથી મળી આવેલા ઘણા મૃતદેહો પર ગંભીર ઈજાઓ હતી, અને તેમના ફેફસાંમાં કાદવ ભરાઈ ગયો હતો. તૂટેલી પાંસળીઓ અને શરીરના અંગો વેરવિખેર પડ્યા હતા. સ્થાનિક લોકો, સેનાના જવાનો અને પોલીસની કલાકોની મહેનત બાદ ઈજગ્રસ્તોને કાદવમાંથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા.
ચસોટી ગામ કિશ્તવાડ શહેરથી લગભગ 90 કિલોમીટર દૂર અને મછેલ માતા મંદિરના માર્ગ પરનું પહેલું ગામ છે. દર વર્ષે ઓગસ્ટ મહિનામાં મછેલ માતા તીર્થયાત્રાનું આયોજન થાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભાગ લે છે. આ વર્ષે પણ આ યાત્રા 25 જુલાઈથી 5 સપ્ટેમ્બર સુધી ચાલવાની હતી.
આ માર્ગ જમ્મુથી કિશ્તવાડ સુધી 210 કિલોમીટર લાંબો છે, જેમાં પડ્ડરથી ચસોટી સુધી 19.5 કિલોમીટરનો રસ્તો વાહનવ્યવહાર માટે યોગ્ય છે અને તે પછી 8.5 કિલોમીટરની પગપાળા યાત્રા હોય છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયું છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.