વર્લ્ડ કપ: પાકિસ્તાનના ડ્રામા પર સૂર્યાનો પ્રહાર
ભારતનું વલણ સ્પષ્ટ છે, અમે રમવા તૈયાર છીએ; પાકિસ્તાનની બેવડી નીતિનો સૂર્યાએ આપ્યો જવાબ

પાકિસ્તાનનો બહિષ્કાર અને રાજકીય દાવપેચ

પાકિસ્તાનનો બહિષ્કાર અને રાજકીય દાવપેચ
ક્રિકેટ જગતના સૌથી મોટા રોમાંચ એવા T20 વર્લ્ડ કપ 2026ના પ્રારંભ આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રમત મેદાનની બહારના વિવાદોએ જોર પકડ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેદાન પરની ટક્કર જોવા આખું વિશ્વ આતુર હોય છે, પરંતુ પાકિસ્તાનના નકારાત્મક વલણે આ મહામુકાબલા પર સંકટના વાદળો ઘેર્યા છે.
ભારતમાં ૭ ફેબ્રુઆરીથી આઈસીસી (ICC) મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૬નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ પાકિસ્તાને અપેક્ષા મુજબ પોતાનો 'ડ્રામા' શરૂ કરી દીધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ મોહસીન નક્વીના અગાઉના નિવેદન બાદ હવે સીધા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ મામલે ઝંપલાવ્યું છે. બુધવારે ૪ ફેબ્રુઆરીએ પાકિસ્તાન કેબિનેટની બેઠક બાદ શરીફે સત્તાવાર જાહેરાત કરી હતી કે પાકિસ્તાની ટીમ આ વર્લ્ડ કપમાં ભારત સામે મેદાનમાં ઉતરશે નહીં.
શાહબાઝ શરીફે આ નિર્ણય પાછળ બાંગ્લાદેશ સાથે એકતા બતાવવાનું વિચિત્ર બહાનું રજૂ કર્યું છે. એક તરફ પાકિસ્તાન વારંવાર રેટલિંગ કરે છે કે રમતગમતમાં રાજકારણ ન લાવવું જોઈએ, પરંતુ બીજી તરફ ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી હાઈ-વોલ્ટેજ ભારત-પાકિસ્તાન મેચનો બહિષ્કાર કરીને પોતે જ રમતને રાજકીય અખાડો બનાવી દીધી છે.
કેપ્ટન સૂર્યકુમાર યાદવનો તડબાતોડ જવાબપાકિસ્તાનના આ બહિષ્કારના એલાન બાદ ક્રિકેટ ચાહકોમાં નિરાશા અને ગુસ્સો જોવા મળ્યો હતો. જોકે, ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મુંબઈમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનના આ વલણને આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. સૂર્યાએ સ્પષ્ટ કર્યું હતું કે ટીમ ઈન્ડિયાના માઈન્ડસેટમાં કોઈ શંકા નથી અને ભારતે ક્યારેય પાકિસ્તાન સામે રમવાની ના પાડી નથી.
સૂર્યાએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે, "અમારો પ્લાન અને માઇન્ડસેટ બિલકુલ ક્લિયર છે. પાકિસ્તાન સામે રમવા માટે અમે ક્યારેય મનાઈ કરી નથી, ઉલટું તેમણે જ પીછેહઠ કરી છે. અમારી ફ્લાઇટ્સ બુક થઈ ચૂકી છે, અમે રવાને થઈ રહ્યા છીએ અને અમારા ફિક્સર પણ નિર્ધારિત છે. અમારું સંપૂર્ણ ધ્યાન પહેલા અમેરિકા સામેની ઓપનિંગ મેચ પર છે અને ત્યારબાદ અમે નિયત કાર્યક્રમ મુજબ કોલંબો જઈશું." સૂર્યાના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારતીય ટીમ પાડોશી દેશના આ 'માઇન્ડ ગેમ્સ' થી જરાય વિચલિત થઈ નથી.
ગ્રૂપ-એના સમીકરણો અને ICC ના નિયમોનું ઉલ્લંઘનT20 વર્લ્ડ કપ ૨૦૨૬ ના ગ્રૂપ-એ માં ભારત અને પાકિસ્તાન સિવાય નેધરલેન્ડ, નામિબિયા અને અમેરિકા જેવી ટીમો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ટુર્નામેન્ટની સૌથી મોટી કમાણી કરનારી અને સૌથી વધુ જોવાયેલી મેચ હોય છે. પાકિસ્તાન દ્વારા આ મેચનો બહિષ્કાર કરવો એ માત્ર ચાહકો સાથે અન્યાય નથી, પરંતુ આઈસીસીના કડક નિયમોનું પણ સરેઆમ ઉલ્લંઘન છે.
ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાન હકીકતમાં ભારત સામેની હારના ડર અને પોતાની નબળી ટીમની ક્ષમતા છુપાવવા માટે આવા બહાના શોધી રહ્યું છે. જો પાકિસ્તાન મેચ રમવા નહીં આવે તો ભારતને વોકઓવર (Walkover) મળશે અને પોઈન્ટ ટેબલમાં ભારતને સીધો ફાયદો થશે, પરંતુ આનાથી પાકિસ્તાન પર આઈસીસી દ્વારા ભારે દંડ અથવા પ્રતિબંધ મૂકવામાં આવે તેવી પણ શક્યતા છે.
પાકિસ્તાનની બેવડી નીતિનો પર્દાફાશપાકિસ્તાની વડાપ્રધાન શરીફે કેબિનેટમાં કરેલા દાવાઓ તેમની બેવડી નીતિ છતી કરે છે. એક બાજુ તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત સામે શાંતિની વાતો કરે છે અને બીજી તરફ ક્રિકેટના મેદાન પરથી ભાગી રહ્યા છે. બાંગ્લાદેશનું બહાનું કાઢીને તેઓ એશિયાઈ દેશોમાં ભારત વિરોધી વાતાવરણ બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સૂર્યકુમાર યાદવના બેબાક નિવેદને સાબિત કરી દીધું છે કે ભારતીય ટીમ માત્ર મેદાન પર જ નહીં, પણ માનસિક રીતે પણ પાકિસ્તાન કરતા ઘણી મજબૂત છે.
વર્લ્ડ કપ જેવી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં કોઈ એક દેશનું નકારાત્મક વલણ તેની ખેલદિલી પર સવાલ ઉભા કરે છે. ભારત પોતાના રસ્તા પર મક્કમ છે અને સૂર્યાની સેના અમેરિકા સામેની મેચથી પોતાના મિશનની શરૂઆત કરવા માટે સજ્જ છે. હવે જોવાનું એ રહેશે કે આઈસીસી આ મામલે પાકિસ્તાન સામે શું કડક પગલાં લે છે અને શું અંતે પાકિસ્તાન દબાણમાં આવીને કોલંબોમાં ભારત સામે રમવા મજબૂર થાય છે કે નહીં.

દુલીપ ટ્રોફી 2026માં વૈભવ સૂર્યવંશીએ બેટિંગમાં 8 રન બાદ બોલિંગમાં કમાલ કર્યો. ઈસ્ટ ઝોનના વૈભવે નોર્થ ઈસ્ટ ઝોન સામે માત્ર 4 બોલમાં 2 વિકેટ ઝડપી અને 3 ઓવરમાં 11 રન આપ્યા.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.