IND VS ENG : ટીમ ઈન્ડિયાને લાગ્યો ડબલ ઝટકો
ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો, નીતિશ રેડ્ડી આખી સીરિઝ તો આ ખેલાડી એક મેચમાંથી બહાર

ટીમનો સ્ટાર બોલર થયો મેચથી બહાર

ટીમનો સ્ટાર બોલર થયો મેચથી બહાર
ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈ, 2025ના રોજ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં શરૂ થવા જઈ રહી છે. આ મેચ શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ટીમ ઇન્ડિયાને બે મોટા ઝટકા લાગ્યા છે. ઇજાગ્રસ્ત ખેલાડીઓની લાંબી યાદીને કારણે BCCIએ ટીમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.
BCCI દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝ મુજબ, ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી આખી શ્રેણીમાંથી જ્યારે અર્શદીપ સિંહ ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. નીતિશ કુમાર રેડ્ડીને ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે સ્વદેશ પરત ફરશે. BCCIએ તેના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. બીજી તરફ, અર્શદીપ સિંહને પ્રેક્ટિસ સેશન દરમિયાન બોલ પકડતી વખતે ડાબા અંગૂઠામાં ઈજા થઈ હતી. BCCIની મેડિકલ ટીમ તેની રિકવરી પર નજર રાખી રહી છે.
આ આઘાતજનક સમાચાર બાદ, મેન સિલેક્શન કમિટીએ અંશુલ કંબોજને ટીમમાં સામેલ કર્યો છે. કંબોજ માન્ચેસ્ટરમાં ટીમ સાથે જોડાઈ ગયા છે.
આ ઉપરાંત, રિષભ પંત અને આકાશદીપ પણ ઈજાગ્રસ્ત હોવાથી, શુભમન ગિલ અને ગૌતમ ગંભીરનું ટેન્શન વધી ગયું છે. ચોથી ટેસ્ટમાં અર્શદીપ સિંહના ડેબ્યૂની પ્રબળ સંભાવના હતી, ખાસ કરીને આકાશદીપ પીઠના દુખાવાથી પરેશાન હોવાથી. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને પણ વર્કલોડને ધ્યાનમાં રાખીને આરામ આપવામાં આવી શકે તેમ હતું.
પરંતુ હવે અર્શદીપ બહાર થઈ જતાં, ચોથી ટેસ્ટમાં સિરાજ અને બુમરાહનું રમવું લગભગ નિશ્ચિત છે. હવે જોવાનું એ રહેશે કે ચોથો ફાસ્ટ બોલર કોણ હશે. આ ઈજાઓ ટીમ ઇન્ડિયા માટે ચોથી ટેસ્ટ પહેલા એક મોટી ચિંતાનો વિષય બની રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.