સુનેત્રા પવારે મહારાષ્ટ્રના Dy. CM તરીરકે શપથ લીધા
અજીત પવારના નિધન બાદ સુનેત્રા પવારે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા Dy. CM તરીકે પદભાર સંભાળ્યો

સુનેત્રા પવાર

સુનેત્રા પવાર
મહારાષ્ટ્રના રાજકારણમાં શનિવારનો દિવસ ઐતિહાસિક રહ્યો છે, કારણ કે દિવંગત નેતા અજીત પવારના પત્ની સુનેત્રા પવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. મુંબઈ સ્થિત લોક ભવન ખાતે આયોજિત એક ગરિમાપૂર્ણ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ 62 વર્ષીય સુનેત્રા પવાર મહારાષ્ટ્રના ઈતિહાસમાં પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી બનવાનું બહુમાન મેળવ્યું છે.
NCPના વિધાયક દળના નેતા તરીકે પસંદગી
આ પ્રસંગે CM દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે, પ્રફુલ પટેલ અને સુનેત્રા પવારના નાના પુત્ર જય પવાર સહિત મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ પૂર્વે તેમણે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું અને NCPના વિધાયક દળના નેતા તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી.
'અજીતદાદા અમર રહે' ના નારા લાગ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે સુનેત્રા પવારને અભિનંદન પાઠવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સુનેત્રા પવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે જવાબદારી સંભાળીને રાજ્યના લોકોના કલ્યાણ માટે અથાક પ્રયાસો કરશે અને સ્વર્ગસ્થ અજીતદાદા પવારના વિઝનને પૂર્ણ કરશે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન સમગ્ર વાતાવરણ ભાવનાત્મક બની ગયું હતું અને હોલમાં 'અજીતદાદા અમર રહે' ના નારા લાગ્યા હતા.
પક્ષના અધ્યક્ષ પદની જવાબદારી પણ સોંપી
NCPના વિધાયક દળની બેઠક એ જ રૂમમાં યોજાઈ હતી જ્યાં અજીત પવાર બેસતા હતા અને તેમની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરતી વખતે અનેક ધારાસભ્યોની આંખો ભીની થઈ ગઈ હતી. આ બેઠકમાં સુનેત્રા પવારને પક્ષના અધ્યક્ષ પદની જવાબદારી પણ સોંપવામાં આવી છે, જેનો અર્થ છે કે હવે પક્ષના તમામ સર્વોચ્ચ અધિકારો તેમની પાસે રહેશે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
બીજી તરફ, શરદ પવારે આ નિમણૂક અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેમને આ બાબતની જાણકારી માત્ર સમાચારપત્રો દ્વારા જ મળી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેમની અને સુનેત્રા પવારની પાર્ટીઓ અલગ છે, તેથી આ તેમનો આંતરિક નિર્ણય છે. જોકે, શરદ પવારે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે છેલ્લા ચાર મહિનાથી બન્ને પાર્ટીઓના વિલય અંગે વાટાઘાટો ચાલી રહી હતી અને અજીત પવાર પણ ઈચ્છતા હતા કે પાર્ટી ફરી એક થઈ જાય. સુનેત્રા પવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેતા હવે વિલયની પ્રક્રિયા અટકી ગઈ હોય તેવું જણાય છે.
CMએ પણ NCPના આ નિર્ણયને સમર્થન આપ્યું
અજીત પવારના અચાનક નિધનથી ખાલી પડેલી જગ્યા પૂરવા માટે સીએમ ફડણવીસે પણ એનસીપીના આ નિર્ણયને સમર્થન આપ્યું હતું. હવે અજીત પવારની રાજકીય વિરાસત સુનેત્રા પવારના હાથમાં છે. સુનેત્રા પવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનતા પહેલા દાયકાઓ સુધી સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે. 1963માં જન્મેલા સુનેત્રા પવારના પિતા બાજીરાવ પાટીલ અને ભાઈ પદ્મસિંહ પાટીલ રાજકારણમાં સક્રિય હતા.
15,000થી વધુ લોકોને રોજગારી આપી
1985માં અજીત પવાર સાથે લગ્ન કર્યા બાદ તેમણે બારામતીના કાટેવાડી ગામને 'મોડેલ ઈકો વિલેજ' બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2005માં તેમણે ગામના દરેક ઘરમાં શૌચાલય બનાવીને ગામને 'નિર્મલ ગ્રામ' નો દરજ્જો અપાવ્યો હતો. આ ઉપરાંત, બારામતી હાઈ-ટેક ટેક્સટાઈલ પાર્ક દ્વારા તેમણે 15,000થી વધુ લોકોને રોજગારી આપી છે, જેમાં મોટાભાગની મહિલાઓ છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.

મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા વિવાદ ફરી ગરમાયો છે. 1960થી 2026 સુધી મરાઠી અસ્મિતા, શિવસેના, MNS, સ્થાનિક રોજગાર, પરપ્રાંતીયો અને હિન્દી વિરોધની સંપૂર્ણ રાજકીય કહાની જાણો.