અંતે સુરજ આથમણો ઉગ્યો ખરો, કરપડાએ કર્યા કેસરીયા
‘સૂરજ આથમણે ઉગશે તો ભાજપમાં જઈશ’ કરપડાનો વીડિયો વાયરલ; પ્રવીણ રામે લગાવ્યા ગંભીર આક્ષેપ

ભાજપમાંથી લડી શકે છે સ્થાનિક ચૂંટણી

ભાજપમાંથી લડી શકે છે સ્થાનિક ચૂંટણી
ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ ફરી એકવાર પૂરબહારમાં ખીલી છે. આમ આદમી પાર્ટી (AAP) ના ફાયરબ્રાન્ડ યુવા નેતા અને ખેડૂતોનો અવાજ ગણાતા રાજુ કરપડાએ તમામ અટકળોનો અંત આણી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) નો કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. જોકે, તેમના આ પ્રવેશની સાથે જ સોશિયલ મીડિયા પર તેમના જૂના નિવેદનોએ વિવાદ મધપૂડો છંછેડ્યો છે.
જૂનો વીડિયો અને વિવાદાસ્પદ ડંફાસ
રાજુ કરપડા જ્યારે આમ આદમી પાર્ટીમાં સક્રિય હતા, ત્યારે તેઓ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરવા માટે જાણીતા હતા. તે સમયે તેમણે એક જાહેર મંચ પરથી ડંફાસ મારતા કહ્યું હતું કે, "જો સૂરજ દાદા આથમણા (પશ્ચિમમાં) ઉગશે, ત્યારે જ હું ભાજપનો ખેસ પહેરીશ." આજે જ્યારે તેઓ ખરેખર ભાજપમાં જોડાઈ ગયા છે, ત્યારે વિરોધ પક્ષો અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તેમનો આ જૂનો વીડિયો જોરશોરથી વાયરલ કરવામાં આવી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે, "શું આજે સૂરજ આથમણે ઉગ્યો છે?"
પ્રવીણ રામના ગંભીર આક્ષેપોરાજુ કરપડાના ભાજપ પ્રવેશથી માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પરંતુ તેમના જૂના સાથીદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તેમની સાથે જેલમાં રહી ચૂકેલા 'આપ' નેતા પ્રવીણ રામે ફેસબુક પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જ્યારે અમે જેલમાં હતા ત્યારે જ ખેડૂત આંદોલનનો સોદો થઈ ગયો હતો. તેમણે આક્ષેપ કર્યો કે રાજુ કરપડાએ ખેડૂતોના હિતને નેવે મૂકીને પોતાની રાજકીય મહત્વકાંક્ષા માટે સત્તાધારી પક્ષનો હાથ પકડ્યો છે.
રાજુ કરપડાનો બચાવ: "સત્તા વગર હિત અશક્ય"ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાએ પોતાનો પક્ષ રજૂ કરતા ભાવુક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, "૨૦૧૭થી મેં ખેડૂતો માટે અનેક આંદોલનો કર્યા અને જેલ પણ વેઠી. પરંતુ મને અનુભવ થયો કે માત્ર રસ્તા પર ઉતરીને વિરોધ કરવાથી નેતાનો ચહેરો ચમકે છે, ખેડૂતોનું ભલું થતું નથી. ખેડૂતોની સ્થિતિ ખરેખર સુધારવી હોય તો સરકારના સાથ અને સત્તાની જરૂર છે." તેમણે વધુમાં ઉમેર્યું કે જેલમાં હતા ત્યારે સરકારે જાહેર કરેલા રાહત પેકેજથી તેમને ખાતરી થઈ હતી કે ભાજપ સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે.
સંગઠનમાં ગાબડું: અન્ય નેતાઓ પણ જોડાયારાજુ કરપડાની સાથે અન્ય અગ્રણીઓ જેવા કે અમૃત મકવાણા, નીતિન પટેલ, કે. ડી. ઝાલા અને રાજેન્દ્ર સિંહ રાઠોડ પણ ભાજપમાં જોડાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં રાજુ કરપડાનું સારું પ્રભુત્વ હોવાથી આગામી પેટાચૂંટણીમાં ભાજપ તેમને ચોટીલા બેઠક પરથી મેદાને ઉતારે તેવી પ્રબળ શક્યતા છે.
ચૂંટણીનો માહોલ અને અનોખો વિરોધએક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 'આપ' એ ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી દીધી છે, તો બીજી તરફ રાજકોટમાં ‘દેશી દારૂની પોટલી અહીંયા મળે છે’ તેવા વિવાદાસ્પદ બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે. સુરતમાં પણ ભાજપ અને 'આપ' ના કાર્યાલયો સામસામે ખુલતા આગામી દિવસોમાં રસાકસીભર્યો જંગ જોવા મળી શકે છે.
ચોટીલાના પૂર્વ ખેડૂત નેતા હવે કેસરીયા રંગમાં રંગાઈને જનતા વચ્ચે જશે, ત્યારે જનતા તેમના જૂના નિવેદનો અને વર્તમાન નિર્ણયને કેવી રીતે સ્વીકારે છે તે જોવું રહ્યું.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.