કોંગ્રેસના અહેમદ પટેલના પુત્રએ મોદીના વખાણ કર્યા!
કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ, શશી થરૂર બાદ ફૈઝલ પટેલે PM ના વખાણ કર્યા
'કોંગ્રેસ દિશાહીન, દેશ સુરક્ષિત હાથોમાં', 2024ની લોકસભા ચૂંટણીમાં મને તક ન આપીઃ ફૈઝલ પટેલ
'કોંગ્રેસ દિશાહીન, દેશ સુરક્ષિત હાથોમાં', 2024ની લોકસભા ચૂંટણીમાં મને તક ન આપીઃ ફૈઝલ પટેલ
કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. એક નેતાને મનાવે ત્યાં બીજો રીસાઈ જાય છે. શશી થરૂર બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. એક મીડિયા મુલાકાતમાં ફૈઝલ પટેલે કહ્યું કે, આપણો દેશ સશસ્ત્ર દળોના કારણે સુરક્ષિત હાથોમાં છે. નરેન્દ્ર મોદી, એસ. જયશંકર, અમિત શાહ, રાજનાથ સિંહ અને સુધાંશુ ત્રિવેદી જેવા નેતાઓ હાલ દેશ ચલાવી રહ્યા છે. તે સખત મહેનત કરી રહ્યા છે. આપણી સામે મોંઘવારી, બેરોજગારી અને અન્ય સમસ્યાઓ છે. પરંતુ આ નેતાઓ સારૂ કામ કરી રહ્યા છે.
ફૈઝલ પટેલે કોંગ્રેસના કોઈપણ નેતાનું નામ લીધા વગર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, 'કોંગ્રેસની ખુદની અલગ દુનિયા ચાલે છે. તે દિશાહીન છે. ભાજપની ખાસિયત એ છે કે તે સંપૂર્ણ કંટ્રોલ રાખવા માંગે છે. દરેક બીજી રાજકીય પાર્ટીને ભાજપ ખતમ કરી દેવા ઈચ્છે છે. આમ આદમી પાર્ટી કોઈ અન્ય પાર્ટી, દરેક ભાજપથી ડરે છે.'
એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં ફૈઝલ પટેલે કહ્યું કે, 'રાહુલ ગાંધી મહેનતી નેતા છે. કોંગ્રેસમાં શશી થરૂર, ડી.કે. શિવકુમાર, રેવંત રેડ્ડી, દીપેન્દ્ર હુડ્ડા અને સચિન પાયલટ જેવા પ્રતિભાશાળી, બુદ્ધિમાન અને સક્ષમ નેતા છે. પરંતુ, પાર્ટીમાં આંતરિક તકલીફો છે. મારૂ માનવું છે કે, પાર્ટીને ચલાવનારા વરિષ્ઠ નેતાઓને યોગ્ય સલાહ આપવામાં આવતી નથી. તેમના સલાહકાર સારૂ કામ નથી કરી રહ્યા અને વરિષ્ઠ નેતાઓની સલાહ પર ધ્યાન આપવામાં નથી આવતું.'
તેમણે કહ્યું કે, 'હું કોંગ્રેસનો ભાગ છું અને પાર્ટીની ઘણી બાબતો પર મારી અસંમતિ છે. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ દેશને મુશ્કેલ સ્થિતિમાંથી ઉગાર્યો છે અને તેમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વનું યોગદાન છે. એસ. જયશંકર માટે મારા મનમાં ખૂબ જ સન્માન છે. જે પ્રકારે વડાપ્રધાન મોદી પોતાની સરકાર ચલાવી રહ્યા છે તે ખરેખર વખાણવા લાયક છે.'
ભાજપમાં જોડાવા અંગે ફૈઝલ પટેલે કહ્યું કે, 'આવું જરાય નથી અને મારે હજુ લોકોની સેવા કરવાની છે. મારા પિતાનું માનવું હતું કે, તમારે લોકોની સેવા માટે રાજકારણમાં આવવાની જરૂર નથી. વર્ષ 2024માં અમારી ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને આપી દેવામાં આવી. ત્યારે મેં અને મારી બહેને પાર્ટી પાસેથી ટિકિટની આશા રાખી હતી. જોકે, બાદમાં કોંગ્રેસ પાર્ટીએ બેઠક ગુમાવવી પડી.'
તેમણે ઉમેર્યુ કે, મેં ક્યારેય કોંગ્રેસ નથી છોડી અને આજે પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે મારા સારા સંબંધ છે. પરંતુ, કોંગ્રેસે મને તક ન આપી. પહેલા મેં મારા પિતાજી ઉપરાંત સામ પિત્રોડા, ગુરદીપ સપ્પલ જેવા અનેક નેતાઓ સાથે કામ કર્યું છે. પાર્ટીનું નુકસાન છે કે, તેઓ એક યુવા નેતાનો ઉપયોગ નથી કરતા. હું લઘુમતી, ક્ષેત્રિય પાર્ટી, વિદેશોમાં વસેલા ભારતીય સમુદાય વચ્ચે કોંગ્રેસની પહોંચને વધારવા માટે પાર્ટીની મદદ માટે તૈયાર છું.'

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.