શેરબજારમાં ધોવાણ: ₹18 લાખ કરોડનું જંગી ગાબડું
સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો; ટ્રમ્પની ટેરિફ નીતિ અને નબળા રૂપિયાથી બજારમાં ભૂકંપ...

શેરબજારમાં જંગી ધોવાણ

શેરબજારમાં જંગી ધોવાણ
ભારતીય શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી વેચવાલીએ આજે માઝા મૂકી છે. બુધવારે સતત ત્રીજા સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ગાબડા પડતા દલાલ સ્ટ્રીટમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સેન્સેક્સ 1,050 પોઈન્ટથી વધુ તૂટીને 81,124ની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી તેની મહત્વની 200-ડે મુવિંગ એવરેજ (DEMA) તોડીને 24,900ના સ્તરે સરકી ગયો હતો. માત્ર 3 દિવસમાં રોકાણકારોની અંદાજે 18 લાખ કરોડની સંપત્તિ ધોવાઈ ગઈ છે.
બજાર કેમ તૂટ્યું? જાણો ૫ મુખ્ય કારણો:
1. વૈશ્વિક ટેરિફ વોરનો ડર: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુરોપિયન દેશો પર 10%થી 25% ટેરિફ લાદવાની જાહેરાતથી ગ્લોબલ ટ્રેડ વોર શરૂ થવાની ભીતિ છે. યુરોપ પણ વળતા પ્રહારની તૈયારીમાં હોવાથી વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પર જોખમ તોળાઈ રહ્યું છે.
૨. રૂપિયાનું ઐતિહાસિક પતન: ડોલર સામે રૂપિયો સતત છઠ્ઠા દિવસે નબળો પડીને 91.34ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો છે. વિદેશી મૂડીના આઉટફ્લો અને યુએસ પોલિસીને કારણે રૂપિયામાં ગાબડું પડ્યું છે.
૩. વિદેશી રોકાણકારો (FII) ની ભાગબટ્ટાઇ: વિદેશી રોકાણકારોએ જાન્યુઆરીના 20 દિવસમાં જ 32,000 કરોડથી વધુના શેર વેચી નાખ્યા છે. જુલાઈથી અત્યાર સુધીમાં FII એ ભારતીય બજારમાંથી 2.2 લાખ કરોડ પાછા ખેંચ્યા છે.
૪. બજેટ પૂર્વેની સાવચેતી: ફેબ્રુઆરીમાં રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2026 પહેલા રોકાણકારો જોખમ લેવા તૈયાર નથી. નબળા કોર્પોરેટ પરિણામો અને અનિશ્ચિતતાને કારણે રિટેલ રોકાણકારો પણ શેર વેચીને સોના-ચાંદી જેવા સુરક્ષિત એસેટ્સ તરફ વળી રહ્યા છે.
૫. લિક્વિડિટીની કટોકટી: મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 2-2 ટકાનો કડાકો જોવા મળ્યો છે. અનેક શેર 30%થી 50% સુધી ઘટી ગયા હોવાથી રોકાણકારો તેમાં ફસાયા છે, જેના કારણે બજારમાં લિક્વિડિટીની સમસ્યા સર્જાઈ છે.
નિષ્ણાતોના મતે, જો નિફ્ટી 24,900ની સપાટીથી નીચે જશે તો હજુ વધુ ઘટાડો જોવા મળી શકે છે. બજારમાં રિકવરી માટે ૨૫,૪૦૦ ઉપર સ્થિર થવું અનિવાર્ય છે.

GIDCમાં 'વિરોધ વગર વિકાસ નહી'નો નારો ગૂંજ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ક્રૂડના વધતા ભાવે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ.

અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર, રોકાણકારોના ₹14 લાખ કરોડ ધોવાયા