1 ફેબ્રુઆરીથી સિગરેટ પર લાગશે આટલી એક્સાઇઝ ડ્યુટી
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય; બજેટ પહેલા જ પાન-મસાલા અને સિગારેટના ભાવમાં ધરખમ વધારો

સિગરેટ પર લાગશે એક્સાઇઝ ડ્યુટી

સિગરેટ પર લાગશે એક્સાઇઝ ડ્યુટી
ભારત સરકારે દેશના 10 કરોડથી વધુ ધુમ્રપાન કરનારાઓ અને તમાકુના ગ્રાહકોને મોટો ઝટકો આપતા 1 ફેબ્રુઆરી 2026થી સિગારેટ અને તમાકુ ઉત્પાદનો પર વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે. નાણા મંત્રાલય દ્વારા બુધવારે મોડી રાત્રે બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન મુજબ, હવે તમાકુ ઉત્પાદનો પર 40% GST ઉપરાંત લંબાઈના આધારે 1000 સ્ટિક દીઠ ₹2050થી ₹8,500 સુધીની એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવશે.
નિર્ણયની અસર
સરકારના આ નિર્ણયની સીધી અસર શેરબજાર પર જોવા મળી હતી. દેશની સૌથી મોટી સિગારેટ ઉત્પાદક કંપની ITC અને માર્લબરોની ડિસ્ટ્રિબ્યુટર ગોડફ્રે ફિલિપ્સના શેરમાં 8% સુધીનો ઘટાડો નોંધાયો હતો. ITC નિફ્ટી-50 ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટનાર શેર રહ્યો હતો, જેના કારણે સમગ્ર FMCG ઇન્ડેક્સમાં 0.6% નો ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારોમાં ચિંતા છે કે ટેક્સ વધવાને કારણે વેચાણમાં ઘટાડો થઈ શકે છે.
ટેક્સ માળખામાં ફેરફાર
નવી વ્યવસ્થા મુજબ, અત્યાર સુધી વસૂલવામાં આવતો 'GST કોમ્પેન્સેશન સેસ' 1 ફેબ્રુઆરીથી નાબૂદ થશે અને તેની જગ્યાએ નવી એક્સાઇઝ ડ્યુટી લેવામાં આવશે. આ ઉપરાંત, પાન મસાલા પર 'હેલ્થ એન્ડ નેશનલ સિક્યોરિટી સેસ' પણ લાદવામાં આવશે.
જોકે, સામાન્ય વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી બીડી પર GST દર 18% રાખવામાં આવ્યો છે, જ્યારે અન્ય તમાકુ ઉત્પાદનો 40%ના સ્લેબમાં રહેશે.
કેમ લેવાયો આ નિર્ણય?
સરકાર ટેક્સ માળખાને વધુ તર્કસંગત બનાવવા અને તમાકુના વપરાશને ઘટાડવા માટે આ દિશામાં આગળ વધી રહી છે. ડિસેમ્બર મહિનામાં સંસદે આ અંગેના બે બિલ પસાર કર્યા હતા, જેની અમલીકરણ તારીખ હવે જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી સરકારની તિજોરીમાં મોટી આવક થવાની અપેક્ષા છે, પરંતુ સામાન્ય ગ્રાહકો માટે સિગારેટના પેકેટ દીઠ કિંમતમાં નોંધપાત્ર વધારો થશે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.