ઓડિશામાં પ્લેન ક્રેશ થતા જીવ તાળવે ચોંટ્યો
ભુવનેશ્વરથી રાઉરકેલા જતી ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગના 10 કિમી પહેલા જ વિમાન પટકાયું..

ઓડિશામાં પ્લેન ક્રેશ

ઓડિશામાં પ્લેન ક્રેશ
ઓડિશાના રાઉરકેલામાં શનિવારે બપોરે ભયંકર અકસ્માત થતા બચ્યો છે. એક ખાનગી વિમાનના ક્રેશ લેન્ડિંગને કારણે મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી.
ભુવનેશ્વરથી રાઉરકેલા જઈ રહેલું 'ઈન્ડિયા વન એરલાઈન્સ'નું 9-સીટર નાનું વિમાન ટેકનિકલ ખામીને કારણે રનવે પર પહોંચતા પહેલા જ ક્રેશ લેન્ડ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 4 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 6 લોકોને ઈજાઓ પહોંચી છે.
રાજ્યના વાણિજ્ય અને પરિવહન મંત્રી બી.બી. જેનાએ બનાવની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ દુર્ઘટના રાઉરકેલાથી લગભગ 10 કિલોમીટર દૂર જલદા વિસ્તારમાં બની હતી. સદનસીબે, વિમાનમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે અને તેમને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી છે. મંત્રીએ આ ઘટનાને 'ભગવાનની કૃપા' ગણાવતા ઉમેર્યું કે મોટી જાનહાનિ ટળી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
બિજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર પ્રસન્ન પ્રધાને વિગતો આપતા જણાવ્યું કે, C-208 મોડેલનું આ લાઈટ એરક્રાફ્ટ નિયમિત ફ્લાઈટના ભાગરૂપે ભુવનેશ્વરથી ઉડ્યું હતું. આ દુર્ઘટના બાદ બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
રાજ્ય સરકારે આ મામલે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને જાણ કરી છે અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળની મુલાકાત લઈને વિમાનના ક્રેશ લેન્ડિંગ પાછળના ચોક્કસ કારણોની તપાસ કરશે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.