બંગાળની ખાડીમાં ચક્રવાત સક્રિય, આ રોજ્યોને એલર્ટ
બંગાળની ખાડી પર સક્રિય થયેલા ચક્રવાત અંગે ચેતવણી જાહેર કરી, જે 11 રાજ્યોમાં અસર કરશે

ચક્રાવત સક્રિય

ચક્રાવત સક્રિય
ચોમાસું ભલે ભારતમાં પરત ફર્યું હોય, પરંતુ હવામાનની પ્રતિકૂળતાનો દોર હજુ પૂરો થયો નથી. આગામી સપ્તાહ ભારતના ઘણા રાજ્યો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. હવામાન વિભાગે બંગાળની ખાડી પર આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાતની ચેતવણી જાહેર કરી છે, જે આજે એટલે કે, 21 ઓક્ટોબરે વધુ તીવ્ર બનવાની ધારણા છે. આ ચક્રવાતની અસર માત્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં જ નહિ, પરંતુ આંતરિક રાજ્યોમાં પણ જોવા મળશે. 23 ઓક્ટોબર સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ચેતવણી જાહેર થતાં જ સ્થાનિક બંદરો ખાલી કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જે સંભવિત ખતરાને દર્શાવે છે.
11 રાજ્યોમાં ચક્રવાત કરશે પ્રવેશ
IMD અનુસાર, આ ચક્રવાતની અસર દક્ષિણ દ્વીપકલ્પથી પૂર્વ, ઉત્તરપૂર્વ, મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતમાં ફેલાશે. કુલ 11 રાજ્યો કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં તેની અસર અનુભવાશે. આંદામાન અને નિકોબાર ટાપુઓથી શરૂ કરીને, આ ચક્રવાત કેરળમાં પ્રવેશ કરશે. ત્યારબાદ તે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં વિનાશ વેરી શકે છે.
આ પણ વાંચો: અરબ સાગરમાં 'શક્તિ' સક્રિય: ગુજરાત તરફ યુ-ટર્ન
40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગે આગાહી કરી છે કે 21, 22 અને 23 ઓક્ટોબરના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તમિલનાડુના કેટલાક ભાગો સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. 21થી 24 ઓક્ટોબર દરમિયાન તમિલનાડુના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની આગાહી છે.
કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના
આ જ સમયગાળા દરમિયાન લક્ષદ્વીપ, દરિયાકાંઠાના અને આંતરિક કર્ણાટક, કેરળ, માહે, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા અને તેલંગાણામાં પણ વરસાદની આગાહી છે. IMD એ સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે, 23 ઓક્ટોબર સુધી તમિલનાડુમાં 22થી 24 ઓક્ટોબર સુધી કેરળમાં અને 23થી 24 ઓક્ટોબર સુધી દરિયાકાંઠાના કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે.
22થી 25 ઓક્ટોબર ભારે વરસાદની આગાહી
દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં 22થી 25 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની આગાહીને કારણે લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં આ વિસ્તારોમાં વીજળી અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડાની પણ આગાહી છે. આમ, બંગાળની ખાડીમાં સક્રિય થયેલું આ ચક્રવાત દેશના મોટા હિસ્સામાં હવામાનમાં મોટો પલટો લાવી શકે છે, જેના કારણે ખેડૂતો અને દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને સતર્ક રહેવાની જરૂર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...