1 ફેબ્રુઆરીથી બદલાશે 5 મોટા નિયમો
ગેસ સિલિન્ડરના ભાવથી લઈને પાન-મસાલા પરના ટેક્સ સુધી, ૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી બદલાશે મોટા નિયમો

૧ ફેબ્રુઆરી આર્થિક ફેરફાર

૧ ફેબ્રુઆરી આર્થિક ફેરફાર
જાન્યુઆરી મહિનો પૂર્ણ થવાની તૈયારીમાં છે અને ૧ ફેબ્રુઆરીથી નવા મહિનાની સાથે જ દેશના બજેટની પણ શરૂઆત થશે. ૨૦૨૬ના આ બીજા મહિનામાં રસોઈથી લઈને મુસાફરી સુધીના અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે.
૧. LPG સિલિન્ડરના નવા ભાવ :
દર મહિનાની જેમ ૧ ફેબ્રુઆરીએ પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ રાંધણ ગેસના ભાવ જાહેર કરશે. બજેટના દિવસે જ ભાવ આવવાના હોવાથી સામાન્ય લોકો ૧૪ કિલોના ઘરેલું સિલિન્ડરમાં રાહતની આશા રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ ગેસના ભાવમાં સમયાંતરે ફેરફાર થતા રહે છે.
૨. CNG, PNG અને હવાઈ ઈંધણ :
ગેસ સિલિન્ડરની સાથે CNG અને PNGના દરોમાં પણ ફેરફારની શક્યતા છે. આ ઉપરાંત, વિમાનમાં વપરાતા ઈંધણ એટલે કે ATFના ભાવ પણ જાહેર થશે. જો ATFના ભાવમાં ઘટાડો થાય તો હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે.
૩. પાન-મસાલા અને સિગારેટ મોંઘા થશે :
તમાકુ ઉત્પાદનો અને પાન-મસાલાના શોખીનો માટે ખરાબ સમાચાર છે. સરકાર દ્વારા નવી એક્સાઇઝ ડ્યુટી અને હેલ્થ સેસ લાગુ કરવામાં આવતા ૧ ફેબ્રુઆરીથી આ ચીજોની કિંમતમાં મોટો વધારો જોવા મળી શકે છે. જીએસટી ઉપરાંત વધારાના સેસને કારણે આ વસ્તુઓ મોંઘી થશે.
૪. FASTag વપરાશકર્તાઓને રાહત :
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ વાહન ચાલકો માટે એક રાહતના સમાચાર આપ્યા છે. ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ થી કાર, જીપ અને વાન જેવા વાહનો માટે ફાસ્ટેગ જારી કરવા માટેની કેવાયસી (KYC) વેરિફિકેશન પ્રક્રિયા બંધ કરવામાં આવી છે, જેનાથી પ્રક્રિયા વધુ સરળ બનશે.
૫. બેન્કોમાં રજાઓનો મારો :
ફેબ્રુઆરી મહિનામાં જો તમારે બેન્કનું કામ હોય તો સાવધાન રહેવું જરૂરી છે. રવિવાર અને શનિવારની સાપ્તાહિક રજાઓ સહિત છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ જેવા તહેવારોને કારણે રાજ્ય અને દેશભરમાં વિવિધ સ્થળોએ અંદાજે ૧૦ દિવસ બેન્કો બંધ રહેશે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.