VADODARA: ફૂડ પોઇઝનિંગ..કોન્ટ્રાક્ટર શીલ્પા હોસ્પિટાલીટી લાઈસન્સ વગર ધંધો કરતો હોવાનો ઘટસ્ફોટ
સમગ્ર ઘટનામાં યુનિવર્સિટી સત્તાધીશોની ઘોર બેદરકારી બહાર આવી

સમગ્ર ઘટનામાં યુનિવર્સિટી સત્તાધીશોની ઘોર બેદરકારી બહાર આવી

સમગ્ર ઘટનામાં યુનિવર્સિટી સત્તાધીશોની ઘોર બેદરકારી બહાર આવી
વડોદરાની MS યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100 વિદ્યાર્થિનીને મંગળવારે રાત્રે ફૂડ-પોઈઝનિંગની અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં હાલ તમામની હાલત સ્થિર છે.બીજી તરફ કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરોની ટીમોએ આજે કેન્ટિનો અને મેસમાં જઇને સેમ્પલો લીધા હતા. એસ.ડી હોલમાં ભોજન પુરુ પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવનારી કંપની શીલ્પા હોસ્પિટાલીટી સર્વિસીસ લાઈસન્સ વગર ધંધો કરતા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરોએ પ્રિપેડ ફૂડના 2 તથા અન્ય રો મટિરીયલના 26 સર્વેલન્સ સેમ્પલ લીધા હતા અને તેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી દેવાયા હતા. પાણીના પણ 6 નમુના લેવાયા હતા. ઉપરાંત ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શીલ્પા હોસ્પીટાલિટી સર્વિસીસને ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે શીડ્યુલ- 4ની તેમજ લાઈસન્સ વગર ધંધો કરતા હોવાની નોટિસ આપવામાં આવી છે.
જો આ કોન્ટ્રાકટર પાસે લાઈસન્સ જ ન હતું તો યુનિ.સત્તાધીશોએ કેમ તેને કોન્ટ્રાક્ટ આપ્યો તે સૌથી મોટો સવાલ છે. ચીફ વોર્ડને એમ કહેલું કે આ કોન્ટ્રાક્ટર ગયા વર્ષે પણ ભોજન પુરુ પાડતો હતો તો સવાલ એ જ ઉભો છે કે તેની પાસે લાઈસન્સ છે કે કેમ તેની ચકાસણી કેમ કરવામાં ના આવી. સમગ્ર ઘટનામાં યુનિવર્સિટી સત્તાધીશોની ઘોર બેદરકારી બહાર આવી છે. કોન્ટ્રાક્ટર હલકી કક્ષાનું ભોજન પીરસે અને તેના કારણે વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનીંગ થાય તે ઘટના ગંભીર છે અને આ કોન્ટ્રાક્ટરને કાઢી મુકી તેને મંજૂરી આપનારા અધિકારી સામે પણ કડક પગલાં લેવા જરુરી છે.
ઉલ્લેખનિય છે કે વડોદરામાં આવેલી MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ થતાં દોડઘામ મચવા પામી હતી. યુનિવર્સિટીમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં મંગળવારે રાત્રે વિદ્યાર્થીનીઓમાં ફૂડ પોઈઝનીંગના લક્ષણો જોવા મળ્યા હતા. સાંજના ભોજન બાદ વિદ્યાર્થીનીઓમાં ઝાડા-ઉલટી અને પેટમાં દુખાવાના લક્ષણો જોવા મળ્યા હતા.
મધરાતે હોસ્ટેલની 100થી વધુ વિદ્યાર્થીનીઓને જીપ, એમ્બ્યુલન્સ, ખાનગી વાહનો અને રિક્ષાઓ દ્વારા સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ઘટનાની જાણ થતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ચીફ વોર્ડન સહીતના લોકો સયાજી હોસ્પિટલમાં દોડી ગયા હતા.
મળતી માહિતી મુજબ મોટાભાગની MS યુનિવર્સિટીની વિધાર્થિનીઓ હોસ્ટેલના એસ.ડી હોલમાં રહે છે. તેમણે મંગળવારે સાંજે ભોજનમાં પનીરનું શાક, રોટલી અને ખીર ખાધી હતી. રાત્રે 11 વાગ્યા બાદ વિધાર્થિનીઓને પેટમાં દુખાવો અને ઉલટી થતા હોસ્ટેલમાં વોર્ડનને આ બાબતની જાણ કરાઈ હતી. ત્યારબાદ એક પછી એક એમ ઘણી વિદ્યાર્થીનીઓમાં એકસરખી અસર જોવા મળી હતી. એક જ સાથે અસર જોવા મળતા મેસ કોન્ટ્રાકટરની બેદરકારી ઉપર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ભોજનમાં વાસી કે બગડેલી વાનગીઓ વપરાઇ હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો--- MSUની વિદ્યાર્થિનીઓ બીમાર, ભોજન પછી હાહાકાર
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!