માતાએ જોડિયા બાળકોની હત્યા કરીને આત્યહત્યા કરી
ઘરેલુ કંકાસના કારણે આ પગલું ઉઠાવાયું હશે તેવી પોલીસને શંકા

જોડિયા બાળકોની હત્યા

જોડિયા બાળકોની હત્યા
તેલંગાણાના હૈદરાબાદમાં એક અત્યંત કરુણ અને કમકમાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલાએ મંગળવારે વહેલી સવારે પોતાના જોડિયા બાળકોની હત્યા કરી અને ત્યારબાદ 3 માળની ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ 27 વર્ષીય ચલ્લારી સાઈ લક્ષ્મી અને તેના 2 વર્ષના જોડિયા બાળકો ચેતન કાર્તિકેય અને લશ્યાથા વલ્લી તરીકે થઈ છે.
આ પણ વાંચો: કેરળ IT પ્રોફેશનલની આત્મહત્યા: RSS પર ભયંકર આક્ષેપ
બાળકોનું ગળું દબાવીને મારી નાખ્યા
આ પરિવાર આંધ્ર પ્રદેશના એલુરુ જિલ્લાના નુઝિવિડુનો વતની હતો અને હૈદરાબાદના બાળાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના પદ્મરાવ નગર ફેઝ-1માં ભાડાના મકાનમાં રહેતો હતો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, સાઈ લક્ષ્મીએ સવારે લગભગ 4 વાગ્યે ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી અને તે પહેલાં તેણે પોતાના જોડિયા બાળકોનું તકિયા વડે ગળું દબાવીને મારી નાખ્યા હતા.
પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી. પોલીસને શંકા છે કે, આ પગલું ઘરેલુ કંકાસના કારણે લેવામાં આવ્યું હશે. પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને લક્ષ્મીના પતિ અનિલને કસ્ટડીમાં લેવાના પ્રયાસો તેજ કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!