રાજ્યમાં 36 હજારથી વધુએ અકસ્માતથી ગુમાવ્યા જીવ
ગુજરાતમાં 5 વર્ષમાં 36,626 લોકોના માર્ગ અકસ્માતથી મોત, જેમાંથી 15,978 લોકો હેલ્મેટ વગર

ગુજરાતમાં અકસ્માતના વધતા કેસ

ગુજરાતમાં અકસ્માતના વધતા કેસ
ગુજરાતમાં માર્ગ અકસ્માતના કેસ દિન-પ્રતિદિન વધી ગયા છે અને સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લાં 5 વર્ષમાં રાજ્યમાં 80,150 અકસ્માત થયા છે. આ અકસ્માતોમાં કુલ 36,626 લોકોના મૃત્યુ થયા છે. સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે, મૃત્યુના મોટાભાગના કેસમાં વાહનચાલકોએ હેલ્મેટ અથવા સીટબેલ્ટ પહેર્યા ન હતા.
મળતી માહિતી મુજબ, 10,801 લોકો એવા હતા જેમણે હેલ્મેટ પહેર્યું ન હતું અને 5,177 લોકો એવા હતા જેમણે કારમાં મુસાફરી દરમિયાન સીટબેલ્ટ ન પહેર્યા હોવા છતાં અકસ્માત થયા અને તેમનું મૃત્યુ થયું હતું. એટલે કુલ 15,978 લોકોના મૃત્યુ થયા તેઓ હેલ્મેટ અને સીટબેલ્ટ વગરના હતા.
આ પણ વાંચો: સુરત: BRTS-કોર્પોરેટરની કાર અકસ્માત બાદ સમાધાન
ઓવરસ્પીડના પણ કેસ
અન્ય મહત્વના પરિબળોમાંથી ઓવરસ્પીડ એક મોટી સમસ્યા બની છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 4,685 ઓવરસ્પીડના અકસ્માત નોંધાયા છે, જેમાં 2,342 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત આશ્ચર્યજનક રીતે 4,915 અકસ્માત એવા સમયે થયા જ્યારે વાહનચાલક પાસે ડ્રાઈવિંગ લાયસન્સ જ ન હતું.
માર્ગ અકસ્માતના બીજા એક ગંભીર પરિબળ તરીકે ઓવરલોડિંગ (વધુ લાદાણ) સામે આવ્યું છે, જેના કારણે પણ 2,342 લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: ધનબાદ ખાણ દુર્ઘટના: 10થી વધુના મોતની આશંકા
વર્ષ 2018થી 2022નો ડેટા
આ તમામ આંકડા વર્ષ 2018થી લઈને 2022 દરમિયાનના છે. 2023 અને 2024ના માર્ગ અકસ્માતના આંકડા સરકાર દ્વારા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. તેમજ NCRB (National Crime Records Bureau) દ્વારા પણ હાલમાં વધુ તાજા માહિતી આપવામાં આવી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!