‘મૈયરમાં મનડું નથી લાગતું’ 25 વર્ષ બાદ ફરી રિલીઝ
હિતેન કુમારની ‘મૈયરમાં મનડું નથી લાગતું’ 25 વર્ષ બાદ ફરી રિલીઝ
રતન અને રામલાની સુપરહિટ જોડી ફરી મચાવશે ધૂમ
રતન અને રામલાની સુપરહિટ જોડી ફરી મચાવશે ધૂમ
સુપરહિટ ગુજરાતી ફિલ્મ 'મૈયરમાં મનડું નથી લાગતું' ફરી સિનેમાઘરોમાં રિલીઝ થશે, જાણો કઈ તારીખે
અમદાવાદ: ગુજરાતી સિનેમાની સુપરહિટ ફિલ્મ 'મૈયરમાં મનડું નથી લાગતું'ના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી અભિનીત આ ક્લાસિક ફિલ્મ તેના રિલીઝના 25 વર્ષ પછી ફરી એકવાર સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહી છે. આ ફિલ્મના ચાહકોને ફરી એકવાર રામ અને રતનની સુપરહિટ જોડીને મોટા પડદા પર જોવાની તક મળશે.
હિતેન કુમારે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "મૈયરમાં મનડું નથી લાગતું"ને રજૂ થયાને 25 વર્ષ વીતી ગયા હોવા છતાં, તે આજે પણ આપણા સૌના હૃદયમાં એટલી જ તાજી છે. આ સાથે તેમણે આનંદી ત્રિપાઠી સાથેની તસવીરો અને ફિલ્મના પોસ્ટર પણ શેર કર્યા હતા. આ ફિલ્મ 5 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
વર્ષ 2001માં રિલીઝ થયેલી આ ફિલ્મે તે સમયે જબરદસ્ત સફળતા મેળવી હતી. રામ અને રતનની જોડીએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં આ પહેલી ફિલ્મ હતી જેની સિક્વલ બનાવવામાં આવી હતી. નોંધનીય છે કે, ફિલ્મમાં રતનનું પાત્ર ભજવનારી અભિનેત્રી આનંદી ત્રિપાઠી મૂળ ગુજરાતી નથી, તેમ છતાં તેમણે આ પાત્રને અદભુત રીતે ભજવીને લોકોના મનમાં સ્થાન બનાવ્યું હતું.
આ ફિલ્મનું ફરી રિલીઝ થવું ગુજરાતી સિનેમાના સુવર્ણકાળને યાદ કરાવશે અને નવી પેઢીને પણ આ સુપરહિટ ફિલ્મ જોવાનો અવસર આપશે.

કૃતિ સેનનની રક્ષાબંધન જ્વેલરી જાહેરાતમાં પાલતુ કૂતરાને રાખડી બાંધવાના દૃશ્યથી સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો છે. નેટીઝન્સ અને કાશીના કેટલાક વિદ્વાનોએ જાહેરાતની રજૂઆત સામે સવાલો ઉઠાવ્યા છે.

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ