કોમેડી કિંગ 'સારાભાઈ' ફેમ એક્ટર સતીશ શાહનું નિધન
જાણીતા અભિનેતા સતીશ શાહનું કિડની ફેલ્યોરને કારણે અવસાન, 74 વર્ષે અંત!

કોમેડી કિંગ એક્ટર સતીશ શાહનું નિધન

કોમેડી કિંગ એક્ટર સતીશ શાહનું નિધન
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટેલિવિઝન જગત માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' સિરિયલમાં 'ઇન્દ્રવદન સારાભાઈ'ના પાત્રથી ઘર-ઘરમાં લોકપ્રિય બનેલા પીઢ અભિનેતા સતીશ શાહનું 74 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કિડની સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા હતા અને કિડની ફેલ્યોરના કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સતીશ શાહે પોતાની કોમિક ટાઇમિંગ અને અસામાન્ય ભૂમિકાઓથી દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો, પરંતુ તેમના મૂળિયાં કચ્છના માંડવીમાં હતા. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અભ્યાસ કર્યા બાદ તેમણે પુણેની FTII (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયા) માં અભિનયની તાલીમ લીધી હતી.
'કલ્ટ ક્લાસિક'નો હીરો
1983માં કુંદન શાહ દિગ્દર્શિત બ્લેક કોમેડી ફિલ્મ 'જાને ભી દો યારોં'માં મ્યુનિસિપલ કમિશનર 'ડિમેલો' તરીકેની તેમની ભૂમિકા આજે પણ 'કલ્ટ ક્લાસિક' ગણાય છે. આ ફિલ્મમાં મૃતદેહ તરીકેની તેમની એક્ટિંગ ખૂબ જ લોકપ્રિય બની હતી. ત્યાર બાદ 1984માં, તેમણે ભારતની પ્રથમ સિટકોમ ગણાતી 'યે જો હૈ ઝિંદગી'માં ટીવી પર પદાર્પણ કર્યું, જેમાં તેઓ દરેક એપિસોડમાં અલગ-અલગ પાત્ર ભજવીને લોકોના પ્રિય બની ગયા.
બોલિવૂડમાં યોગદાન
ટીવી ઉપરાંત તેમણે બોલિવૂડની અનેક સફળ ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી, જેમાં 'હમ સાથ સાથ હૈ', 'મેં હું ના', 'બીવી હો તો ઐસી', અને 'ફના' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. 'ઇન્દ્રવદન સારાભાઈ'નું તેમનું પાત્ર ટીવીના ઇતિહાસમાં સૌથી વધુ યાદગાર પાત્રોમાંનું એક બની રહેશે. શાહરૂખ ખાનની ચર્ચાયેલી ફિલ્મમાંની ઘણી ફિલ્મોમાં સતીશ શાહના આઈકોનિક કેરેક્ટર્સ જોવા મળ્યા હતા. ફિલ્મ 'મેં હું ના'માં પ્રોફેસર રસાઈના પાત્રને પણ વિવાદાસ્પદ હોવા છતાં ચર્ચાયો હતો.
અંતિમ સંસ્કાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સતીશ શાહ લાંબા સમયથી બીમાર હતા અને તાજેતરમાં જ તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. તેમના મેનેજરે પુષ્ટિ કરી છે કે તેમનું પાર્થિવ શરીર હાલ હોસ્પિટલમાં છે અને તેમના અંતિમ સંસ્કાર રવિવારે કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી

રોહિત શર્માનું ટીવી ડેબ્યૂ, ‘Family Full House With Rohit Sharma’ 19 સપ્ટેમ્બરથી શરૂ; જાણો શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.