ઇતિહાસને એક અજગરી ટેવ છે – તે ફરીને આવે છે, ભલે એ આપણને ગમતું હોય કે ન ગમતું હોય. પડોશી દેશોમાં તાજેતરમાં થયેલા આંદોલનો અને સત્તાપરીવર્તન જોઈને આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતને અચાનક ચિંતામાં કેમ મૂકી દિધા? એ પ્રશ્ન આજના સમયમાં ચટપટો લાગે છે.
શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળ – ત્રણેય પડોશી દેશોમાં અચાનક ઉભરેલા આંદોલનોએ સત્તાની ખુરશી હચમચાવી નાખી. ભાગવતે પોતાના દશેરાના સંદેશમાં એનો ઉલ્લેખ કરીને કહી દીધું કે “વિદેશી તાકાતોને અરાજકતા ફેલાવે છે.” હવે આ વાક્ય સાંભળીને કોઈએ પૂછવું જોઈએ – “સાહેબ, શું જે ખાડો ખોદો તે જ તેમાં પડે તેથી ડર લાગે છે?”
ભારતનું સ્મરણ કરાવતી ઘટનાઓ ઘણી છે. 2011નું “ઇન્ડિયા અગેનસ્ટ કરપ્શન” આંદોલન યાદ છે ને? કૈંક એવા જ “વિદેશી તત્વો” અને સ્થાનીક “અરાજકતા સર્જનારા તત્વો”ની સાંઠગાંઠથી કોંગ્રેસની સરકારને ભ્રષ્ટ ચીત્રી જનઆક્રોશ પેદા કર્યો. દિલ્લીના દર્દનાક ગેંગરેપનો મૂદ્દો દેશ ભરમાં કેન્ડલ માર્ચથી ઉછાળ્યો – અને કોંગ્રેસ ઉડી ગઈ. ત્યાર પછી તપાસે બતાવ્યું કે કોલ સ્કેમ હોય કે 2જી સ્કેમ – આરોપો સાબિત થયા નહોતાં. એટલે કે, પ્રજાને ભડકાવવી, છબી ખરડવી અને સત્તાથી દૂર કરવી – આ એક જૂનું સૂત્ર છે.
એટલું જ નહીં, 1989માં બોફોર્સનો બોમ્બ ફૂટ્યો. કોંગ્રેસ ભ્રષ્ટ ઠરાવાઈ, સત્તા ગુમાવી. પછીથી વર્ષો સુધી કોઈ સાબિતી મળી નહીં. આજે 2025માં ફરીથી એ જ ગેમની ગંધ આવે છે?
ભાગવતની ચિંતા એ જ છે કે જે રાજકીય હથિયાર એક સમયે કોંગ્રેસ સામે વપરાયું, તે જ હથિયાર કદી ભાજપ સામે પણ ઉપયોગ થઇ શકે છે. “હાથના કર્યાં હૈયે વાગે” એ કહેવતની જેમ.
અને વિદેશી તાકાતોની વાત તો ખાલી સૂત્ર નથી. અમેરિકા, લિબિયા કે ઇરાકમાં સરકાર બદલી શકે છે, તો ભારતમાં કેમ નહીં? આજે જ ભાગવત અમેરિકા પર ગુસ્સે છે, કારણ કે “ઇલુ-ઇલુ”નો પ્રેમ હવે ખાટો લાગ્યો. રશિયા સાથે પાછું હૃદય જોડવાની ફરજ પડી.
મુદ્દો એટલો જ છે – જ્યારે તમે સત્તામાં છો, ત્યારે તમને લાગે છે દુનિયા તમારી છે. પણ ઇતિહાસે સાબિત કર્યું છે – સરકારો મજબૂત દેખાય છે, પણ એક candle march કે એક આંદોલન આખા કિલ્લાને ધરાશાયી કરી દે છે. અને આજે ભાગવત જે બોલે છે, એમાં છુપાયેલો ડર એ જ કહે છે કે – “કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ," જેવો ઘાટ ભારતમાં તો નહીં થાય ને.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ