પશ્ચિમ રેલવેની ખાતાકીય પરીક્ષામાં મોટું કૌભાંડ
સીબીઆઈએ ચાર ફરિયાદ નોંધી 10 આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી, સર્વરમાં ચેડાંનો ખુલાસો

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
પશ્ચિમ રેલવેની ખાતાકીય પરીક્ષાઓમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. સીબીઆઈએ 10 વ્યક્તિઓ સામે ચાર ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પશ્ચિમ રેલ્વેમાં ખાતાકીય પરીક્ષામાં પ્રમોશન મેળવવા માટે લેવાયેલી પરીક્ષામાં થયેલી ગેરરીતિનું સૌથી મોટું કૌભાંડો ગણવામાં આવી રહ્યું છે.
સીબીઆઈએ જણાવ્યું કે, વરિષ્ઠ અધિકારીઓ, આઈટી કર્મચારીઓ અને કારકુની સ્ટાફના કથિત જોડાણે પરીક્ષણો પૂર્ણ થયા પછી પરીક્ષા સર્વરમાં પ્રવેશવા માટે રિમોટ એક્સેસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને કોમ્પ્યુટર-આધારિત પરીક્ષણો (સીબીટી) માં છેડછાડ કરી હતી. જેના કારણે પસંદગીના ઉમેદવારો પ્રમોશન મેળવી શક્યા હતા.
અત્યાર સુધીમાં સીબીઆઈએ ગાંધીનગર ખાતે ચાર એફઆઈઆર નોંધાવી છે. સીબીઆઈની તપાસ દરમિયાન રિમોટ ચેડાં, ડિજિટલ રેકોર્ડ ગુમ થવા અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના પુરાવા મળ્યા બાદ 10 વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. એફઆઈઆર અનુસાર, આરોપી રેલવે અધિકારીમાંથી એક દ્વારા કથિત રીતે વિકસિત કસ્ટમાઇઝ્ડ પરીક્ષા સોફ્ટવેર દ્વારા હેરાફેરી કરવામાં આવી હતી.
એજન્સીએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2023 અને ઓગસ્ટ 2024 વચ્ચે લેવામાં આવેલી ચાર વિભાગીય પરીક્ષાઓમાં ગેરરીતિઓ બહાર આવી હતી. જે હેરાફેરીનો વ્યવસ્થિત પેટર્ન દર્શાવે છે.
10 ઓગસ્ટ, 2024ના રોજ લેવાયેલી શન્ટિંગ માસ્ટર પરીક્ષામાં, 178 ઉમેદવારોમાંથી 6 ઉમેદવારોએ અસામાન્ય રીતે ઊંચા ગુણ મેળવ્યા હતા. જેના કારણે તપાસકર્તાઓએ જીતેશ અગ્રવાલ(તત્કાલિન સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર), કે.પી.મનોજ નારાયણન (નિવૃત્ત ચીફ ઓએસ-આઇટી), નવરોઝ કુરાની (ડેટાબેઝ આસિસ્ટન્ટ) અને મહેન્દ્ર શિરશાત(સિનિયર ક્લાર્ક)ને કથિત મુખ્ય સૂત્રધારો તરીકેની ભૂમિકા સામે આવી છે.
22 નવેમ્બર, 2024ના રોજ લેવાયેલી ડીઝલ મિકેનિક ગ્રેડ-3 ની પરીક્ષામાં પણ આવા જ તારણો બહાર આવ્યા હતા. જેમાં ઉમેદવાર અરહાન મન્સુરીએ અસામાન્ય રીતે ઊંચા ગુણ મેળવ્યા હોવાનું કહેવાય છે. વિજિલન્સ તપાસમાં કસ્ટમાઇઝ્ડ સોફ્ટવેરનો સમાન ઉપયોગ, સર્વર અનિયમિતતાઓ, વિલંબિત સત્ર બંધ અને લોન-લિંક્ડ મની ટ્રેલ્સ મળી આવ્યા હતા. જેમાં ફરીથી તે જ ચાર અધિકારીઓને સંડોવણી ખુલી છે.
16 માર્ચ, 2024ના રોજ યોજાયેલી સ્ટાફ વેલ્ફેર ઇન્સ્પેક્ટર પરીક્ષામાં ચાર ઉમેદવારોએ 87 થી 90.33 ટકાના સાંકડા બેન્ડમાં સ્કોર મેળવ્યો હતો. જે તપાસકર્તાઓને જાણવા મળ્યું કે પ્રશ્નપત્રો બે કલાક મોડા અપલોડ કરવામાં આવ્યા હતા. સર્વર્સને પાછળથી ફોર્મેટ કરવામાં આવ્યા હતા અને થર્ડ-પાર્ટી રિમોટ એક્સેસ સોફ્ટવેર (એનીડેસ્ક)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે ચિંતા વધી ગઈ હતી.
સૌથી પહેલો કેસ 3 ડિસેમ્બર, 2023ના રોજ યોજાયેલી આસિસ્ટન્ટ ટ્રેન કંટ્રોલર પરીક્ષાનો છે, જ્યાં બે ઉમેદવારોએ 98.67 ટકાના સમાન સ્કોર મેળવ્યા હતા. એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પ્રશ્નપત્રો એક દિવસ અગાઉ અપલોડ કરવામાં આવ્યા હતા અને તે સમયે પરીક્ષા સોફ્ટવેર સત્તાવાર રીતે મેળવવામાં આવ્યું ન હતું. જે સીબીઆઈના સંકલિત, બહુ-પરીક્ષા કાવતરાના દાવાને મજબૂત બનાવે છે.
વિજિલન્સ પૂછપરછ પૂર્ણ થયા પછી અને રેલ્વે મંત્રાલય તરફથી મંજૂરી મેળવ્યા પછી, 30 ડિસેમ્બરના રોજ રશ્મિ લોકેગાંવકર, ડેપ્યુટી ચીફ વિજિલન્સ ઓફિસર(એ એન્ડ પી), પશ્ચિમ રેલ્વે, ચર્ચગેટ, મુંબઈ દ્વારા ચાર ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદોમાં 10 રેલવે અધિકારીઓ અને પરીક્ષામાં છેડછાડ કરવામાં કથિત રીતે સંડોવાયેલા અજાણ્યા સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કથિત ષડયંત્રના કેન્દ્રમાં તત્કાલિન સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર જીતેશ અગ્રવાલ છે. જેના ઉપર અનેક વિભાગીય સીબીટીનું નિરીક્ષણ કરતા મુખ્ય નિર્ણય લેનાર હોવાનો આરોપ છે. ફોરેન્સિક વિશ્લેષણમાં નિર્ધારિત પ્રક્રિયાઓનું ગંભીર ઉલ્લંઘન જોવા મળ્યું છે.
એક એફઆઈઆરમાં જણાવાયું છે કે, પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને, પરીક્ષા પૂર્ણ થયા પછી બે દિવસથી વધુ સમય માટે ઔપચારિક રીતે પરીક્ષા સત્ર બંધ કરવામાં આવ્યું ન હતું. આ સમયગાળા દરમિયાન, સર્વર્સ પર થર્ડ-પાર્ટી રિમોટ એક્સેસ સોફ્ટવેર, 'એનીડેસ્ક' ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું, જે પરીક્ષા વિન્ડો સમાપ્ત થયા પછી પણ રિમોટ કંટ્રોલને મંજૂરી આપે છે.
તપાસકર્તાઓએ એ પણ શોધી કાઢ્યું કે સીબીટી દરમિયાન સંપૂર્ણ અલગતા ફરજિયાત કરવા માટેની સત્તાવાર માર્ગદર્શિકા છતાં સર્વર્સ ઇન્ટરનેટ સાથે જોડાયેલા રહ્યા. વધુ નોંધપાત્ર રીતે, તાત્કાલિક પરીક્ષા પછીના સમયગાળા માટે લોગિન રેકોર્ડ ગુમ હતા. જે પરીક્ષણો પછી સિસ્ટમ ઍક્સેસ કરનારાઓની ઓળખને અટકાવે છે.
એફઆઈઆરમાં વધુમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પરીક્ષા સોફ્ટવેર ભાવનગર વિભાગમાં અગાઉ પોસ્ટ કરાયેલા નિવૃત્ત ચીફ ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ (આઈટી) કે.પી.મનોજ નારાયણનનું હતું. જે અગાઉ ભાવનગર વિભાગમાં પોસ્ટ કરાયેલા હતા. જે અગ્રવાલની નીચે કામ કરતા હતા. ભાવનગરમાં અગ્રવાલના કાર્યકાળ દરમિયાન અગાઉના સીબીટીમાં સમાન સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.
અન્ય એક આરોપી, ડેટાબેઝ સહાયક, નવરોઝ કુરાની, ઉમેદવારો, પેપર સેટર્સ અને પરીક્ષાનું સંચાલન કરતા અધિકારીઓ માટે લોગિન આઈડી બનાવતો હતો. તેને સંવેદનશીલ ઓળખપત્રોની ઍક્સેસ મળતી હતી. એક વરિષ્ઠ કારકુન, મહેન્દ્ર કુમાર શિરશાત પર અનુકૂળ પરિણામોના બદલામાં ઉમેદવારો પાસેથી પૈસા વસૂલવાનો આરોપ છે.
તપાસકર્તાઓએ અગ્રવાલ અને શિરશાત બંનેના બેંક ખાતાઓમાં "મોટા શંકાસ્પદ ક્રેડિટ" હોવાની જાણ કરી હતી. એફઆઈઆર અનુસાર શિરશાતે કથિત રીતે મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું, લાભાર્થીઓ પાસેથી પૈસા એકઠા કર્યા હતા અને તેને યોજનામાં સામેલ વરિષ્ઠ અધિકારીઓને મોકલ્યા હતા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય