આ તે ક્યું ગણિત? 61 લાખ સામે 1.66 કરોડનું વ્યાજ!
યુવકે 61 લાખ સામે 1.66 કરોડ ચૂકવ્યા હોવા છતાં મકાન લખાવી લેવા અને જાનથી મારી નાખવાની ધમકી

61 લાખ સામે 1.66 કરોડનું વ્યાજ

61 લાખ સામે 1.66 કરોડનું વ્યાજ
ચાંદખેડાના મોટેરા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય મિતેશ બારોટ હિન્દી અને ગુજરાતી ગીતો લખીને પોતાની યુ-ટ્યૂબ ચેનલ પર મ્યુઝિક આલ્બમ બહાર પાડવાનો શોખ ધરાવે છે. વર્ષ 2009થી સંગીત ક્ષેત્રે સંકળાયેલા મિતેશે 2022માં પોતાની 'DMV' નામની ચેનલ શરૂ કરી. આ શોખ પૂરો કરવા અને કમાઈ લેવાની લાલચમાં તે વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયો હતો. મિતેશે દોઢ વર્ષના ટૂંકા ગાળામાં 6 વ્યાજખોરો પાસેથી કુલ 61 લાખની રકમ વ્યાજે લીધી હતી. આ રકમ સામે તેણે અત્યારસુધીમાં 3 ગણી એટલે કે 1.66 કરોડ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં, અમદાવાદ અને ગાંધીનગરના 6 વ્યાજખોરો દ્વારા તેની પાસે વધુ પૈસાની માંગણી કરીને ભારે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો.
6 વ્યાજખોરો સામે FIR અને આપઘાતનો પ્રયાસ
મિતેશ બારોટે ઘાટલોડિયાના અનુજ ઉર્ફે કરણ દેસાઈ, મેમનગરના વિશાલ દેસાઈ, ચાંદખેડાના ભાવેશ દેસાઈ, મોટેરાના ઈશ્વર દેસાઈ તેમજ ગાંધીનગરના દશેલા ગામના જીગર દેસાઈ અને નિખીલ રબારી સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વ્યાજખોરોએ મિતેશ પાસેથી વસૂલાત કરવા માટે લોન લેવડાવી, કોરા ચેક, 70 લાખની પ્રોમિસરી નોટ, અન્ય લખાણો, અને સૌથી ગંભીર બાબત તો મકાન લખાવી લીધું હતું.
વ્યાજખોરીમાંથી બહાર આવવા 63 લાખની લોન લીધી
વ્યાજખોરો દ્વારા મિતેશની પત્ની અને બહેનને ગાળો આપી, તેમજ તેના 4 વર્ષના પુત્રને ઉઠાવી જવાની ધમકી આપીને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ ત્રાસ એટલો વધી ગયો કે, 21-11-2024ના રોજ મિતેશના બહેને કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે સમયે પોલીસ કેસ કરવાની ધમકીના કારણે પરિવાર ફરિયાદ નોંધાવી શક્યો નહોતો. મિતેશે આ વ્યાજખોરીના ચક્કરમાંથી બહાર આવવા માટે મકાન પર 63 લાખની લોન લીધી, દુકાન વેચી દીધી અને મિત્રો પાસેથી પણ કરોડો રૂપિયાની મદદ લીધી, છતાં વ્યાજખોરોનો ત્રાસ ઓછો ન થયો.
આ પણ વાંચો: Sabarkantha : વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ભોગ, નિર્દોષ પુત્રનો જીવ લઈ પિતાનો કરુણ અંત!
પોલીસ કાર્યવાહી અને સમાજમાં ચર્ચા
મિતેશ બારોટની ફરિયાદના આધારે, ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI એન. જી. સોલંકીએ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું છે. આ કિસ્સાથી એ સાબિત થાય છે કે, તહેવારોના સમયમાં પણ વ્યાજખોરો બેફામ બનીને સામાન્ય નાગરિકોને કેવી રીતે હેરાન કરી રહ્યા છે. આ વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયેલા મ્યુઝિક પ્રોડ્યુસરની જીંદગીના સૂર-તાલ બેસૂરા બની ગયા છે, અને તેના પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!