બે દિવસ પહેલાં જ મળી હતી વૃદ્ધાને, પછી એવું શું થયું કે ઈસ્ત્રીના ઘાથી લઈ લીધો જીવ?
મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!

સુરત નાનપુરા વૃદ્ધા હત્યા કેસમાં આરોપી મહિલા ઝડપાઈ

સુરત નાનપુરા વૃદ્ધા હત્યા કેસમાં આરોપી મહિલા ઝડપાઈ
Surat Elderly Woman Murder Case Solved: સુરતના નાનપુરા વિસ્તારમાં 84 વર્ષીય વૃદ્ધા એમીબેન ઉર્ફે અમીનાબેન મોતીવાલાની હત્યાનો ભેદ અઠવાલાઇન્સ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસ મુજબ, ભાડાનું મકાન જોવાના બહાને મોનાલિસા એપાર્ટમેન્ટમાં પહોંચેલી છાયા શાહે ચોરીના પ્રયાસ દરમિયાન વૃદ્ધા પર હુમલો કર્યો હતો. માથામાં ઈજા કર્યા બાદ કેબલથી ગળું દબાવી હત્યા કરાઈ હોવાનો પોલીસનો દાવો છે. આરોપી મહિલા પોતાના 15 વર્ષીય પુત્ર સાથે વૃદ્ધાના ફ્લેટમાં ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, પુત્રે માતાને રોકવા માટે બૂમાબૂમ કરતાં છાયા શાહ ગભરાઈ ગઈ હતી અને વૃદ્ધાના શરીર પર રહેલા આશરે 7 તોલા સોનાના દાગીના લીધા વગર જ ત્યાંથી ભાગી ગઈ હતી. પોલીસે 300થી વધુ CCTV ફૂટેજ, રિક્ષા અને મોબાઈલ લોકેશનની મદદથી આરોપી સુધી પહોંચીને તેની ધરપકડ કરી છે.
13 સપ્ટેમ્બરે નાનપુરામાં શું બન્યું?
નાનપુરામાં T&TV હાઈસ્કૂલ પાસે આવેલા મોનાલિસા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટ નંબર 16માં એમીબેન રહેતા હતા. 13 સપ્ટેમ્બરે તેમનો ફોન ન ઉપાડતા પરિવારજનોએ ફ્લેટ પર જઈ તપાસ કરી હતી. ત્યાં એમીબેન લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં અઠવાલાઇન્સ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. એપાર્ટમેન્ટમાં પૂરતા CCTV કેમેરા ન હોવાથી પોલીસે આસપાસના વિસ્તારોના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું.
બે દિવસ પહેલાં જ થઈ હતી આરોપીની મુલાકાત
પોલીસ તપાસ મુજબ, 11 સપ્ટેમ્બરે છાયા શાહ મોનાલિસા એપાર્ટમેન્ટમાં ભાડાનું મકાન જોવા ગઈ હતી. આ દરમિયાન તેની મુલાકાત એમીબેન સાથે થઈ હતી. વાતચીતમાં વૃદ્ધા એકલા રહેતા હોવાની જાણકારી છાયાને મળી હતી. 13 સપ્ટેમ્બરે છાયા પોતાના 15 વર્ષીય પુત્ર સાથે ફરી એમીબેનના ફ્લેટમાં પહોંચી હતી. મકાન જોવા આવ્યાની ઓળખાણનો લાભ લઈ તેણે ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો.
તિજોરી ખોલવાનો પ્રયાસ કરતા વૃદ્ધાએ વિરોધ કર્યો
પોલીસના જણાવ્યા મુજબ, ઘરમાં પ્રવેશ્યા બાદ છાયાએ તિજોરી ખોલવાનો પ્રયાસ કર્યો હતો. એમીબેને તેનો વિરોધ કરતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન છાયાએ ઈસ્ત્રી વડે એમીબેનના માથામાં હુમલો કર્યો હતો અને ત્યારબાદ કેબલથી ગળું દબાવી હત્યા કરી હોવાનો પોલીસનો આરોપ છે. પુત્રની બૂમાબૂમથી ગભરાયેલી આરોપી મહિલા આશરે 7 તોલા સોનાના દાગીના લીધા વગર જ ભાગી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, તે એક મોબાઈલ ફોન અને થોડી રોકડ રકમ લઈને નીકળી હતી.
300થી વધુ CCTV તપાસી પોલીસે આરોપીને ઝડપી
હત્યાની તપાસ દરમિયાન અઠવાલાઇન્સ પોલીસે આસપાસના વિસ્તારોના 300થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં એક શંકાસ્પદ મહિલા રિક્ષામાં જતી જોવા મળ્યા બાદ પોલીસે રિક્ષાચાલક સહિતની વિગતો મેળવી તપાસ આગળ વધારી હતી. CCTV, માનવ ગુપ્તચર માહિતી અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસ નાનપુરા ખારવાવાડ વિસ્તારમાં આવેલા ઇન્દ્રનીલ એપાર્ટમેન્ટ સુધી પહોંચી હતી. અહીંથી 35 વર્ષીય છાયા શાહને ઝડપી પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કબૂલાત કરી હતી.
છાયા શાહ કેરટેકર તરીકે કામ કરતી હતી
ACP વી. આર. મલ્હોત્રાના જણાવ્યા મુજબ, છાયા શાહ મૂળ રાજકોટની છે અને સુરતમાં કેરટેકર તરીકે કામ કરતી હતી. તે પોતાના 15 વર્ષીય પુત્ર સાથે રહેતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ અઠવાલાઇન્સ પોલીસે છાયા શાહની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

₹2,799ની EMI ભરાઈ ગઈ… છતાં યુવક કેમ ન છૂટ્યો? લખનઉમાં મોબાઇલની EMIના વિવાદે એવો વળાંક લીધો કે પરિવારના આરોપો સાંભળી પોલીસ પણ તપાસમાં લાગી ગઈ.