કાલુપુર સ્ટેશનના કામથી રેલવે વ્યવહારને મોટી અસર
અમદાવાદ રેલવે સ્ટેશનના નવીનીકરણના કારણે 5 ટ્રેન રદ કરાઈ, બે ટ્રેન વટવા સુધી જ દોડશે

કાલુપુર રેલવે

કાલુપુર રેલવે
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના આધુનિકીકરણની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ નવીનીકરણના ભાગરૂપે રેલવે તંત્ર દ્વારા અનેક ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જ્યારે કેટલીક ટ્રેનોને આંશિક અથવા સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. રેલવેના આ આકસ્મિક ફેરફારોને કારણે હજારો મુસાફરોએ અંતિમ ઘડીએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બ્રિજની કામગીરીને પગલે બ્લોક કાલુપુર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 206 થી 1052 વચ્ચેના ફૂટઓવર બ્રિજ પર કમ્પોઝિટ સ્ટીલ ગર્ડર બેસાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ ટેકનિકલ કામગીરીના કારણે આજે, 18મી જાન્યુઆરીના રોજ ટ્રેન વ્યવહાર પર અસર પડી છે. વટવા, મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર ટ્રેનો ડાઈવર્ટ કરવામાં આવી રહી છે.
કઈ ટ્રેનોને અસર થઈ? રેલવે પ્રશાસન દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ નીચે મુજબની ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર થયો છે:
વટવા સુધી દોડનારી ટ્રેનો: વલસાડ-અમદાવાદ 'ગુજરાત ક્વીન એક્સપ્રેસ' (19033) અને મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ 'ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ' (22953) કાલુપુરને બદલે માત્ર વટવા સ્ટેશન સુધી જ આવશે.
રદ કરવામાં આવેલી ટ્રેનો: ટેકનિકલ કારણોસર વલસાડ-વડનગર-વલસાડ ઈન્ટરસિટી (20959/60), મણિનગર-વડોદરા-વટવા ઈન્ટરસિટી (19036/35), વડોદરા-વટવા મેમૂ (69101/02), વડોદરા-વટવા-આણંદ મેમૂ (69115/130) અને વડોદરા-વટવા-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન (59549/550) 18મી જાન્યુઆરીએ સંપૂર્ણ બંધ રહેશે.
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ રેલવેની સત્તાવાર વેબસાઈટ અથવા હેલ્પલાઈન પરથી ટ્રેનનું સ્ટેટસ તપાસીને જ મુસાફરીનું આયોજન કરે

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.