સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણી માટે હાહાકાર
પાણીની તંગી પર ઉઠ્યો રોષ, ટેન્કર પર આધારિત અમદાવાદના નાગરિકો
અમદાવાદીઓનો પાણી માટે હાહાકાર
અમદાવાદીઓનો પાણી માટે હાહાકાર
ગુજરાતનું મેટ્રો અને સ્માર્ટ સિટી ગણાતું અમદાવાદ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગાંધીનગર અને અમદાવાદની હદ પર આવેલા ચાંદખેડા વોર્ડમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની ગંભીર અછત સર્જાઈ છે. 45થી વધુ સોસાયટીઓના રહેવાસીઓ પીવા અને અન્ય ઉપયોગ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ખાનગી ટેન્કરો પર આધાર રાખવા મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક મહિલાઓએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, "અહીં છેલ્લા ત્રણ મહિનાથી પાણીની ખૂબ જ સમસ્યા છે. પાણી ન આવતું હોવાથી અમને સગાંવહાલાંને ત્યાં નહાવા અને કપડાં ધોવા જવું પડે છે. સવારના સમયે જ્યારે છોકરાઓને સ્કૂલે જવાનું હોય ત્યારે પાણી ભરવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે અને ટેન્કર આવે ત્યારે પણ પાણી માટે ઝઘડા થાય છે." આ પરિસ્થિતિએ નાગરિકોના રોજિંદા જીવનને ખૂબ જ કઠીન બનાવી દીધું છે.
કોર્પોરેટરની રજૂઆતો પણ અવગણવામાં આવે છે:
આશ્ચર્યની વાત એ છે કે, આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંનેના કોર્પોરેટરોએ પ્રયાસો કર્યા છે, તેમ છતાં પરિસ્થિતિ યથાવત છે. ચાંદખેડા વોર્ડના ભાજપના કોર્પોરેટર અરુણસિંહ રાજપૂતે મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર વિભાગના અધિકારીઓ પર રોષ ઠાલવતા કહ્યું કે, "શૈલગંગા પાણીની ટાંકી ઓછી ભરાવાના કારણે પૂરતા પ્રેશરથી પાણી આવતું નથી. હું છેલ્લા ઘણા સમયથી અધિકારીઓને રજૂઆત કરી રહ્યો છું, પરંતુ કોઈ ધ્યાન આપતું નથી. જો આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો હું આંદોલન પણ કરીશ."
ડીકેબીન રેલવે અન્ડરપાસ પાસે નવી પાણીની ટાંકી અને વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરનું નિર્માણ કાર્ય ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે પણ પાણીનો સપ્લાય ઓછો થઈ રહ્યો છે. ઘણા વિસ્તારોમાં નાગરિકોને પોતાના ખર્ચે ખાનગી ટેન્કરો મંગાવવા પડે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક બોજ સમાન છે. સત્તાધારી પક્ષના કોર્પોરેટરની રજૂઆતો પણ જો સાંભળવામાં ન આવતી હોય, તો સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું નિવારણ ક્યારે આવશે તે એક મોટો પ્રશ્ન છે. આ પરિસ્થિતિએ સ્માર્ટ સિટીના દાવાઓ સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.