જન્માષ્ટમીમાં મેઘરાજાનું આગમન
હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું,
રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામી રહ્યો છે. હવામાન વિભાગે 15થી 23 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ખુશીનો માહોલ છે. જન્માષ્ટમીના તહેવાર પર મેઘરાજાનો સારો રાઉન્ડ આવવાની શક્યતા છે, જેમાં કેટલાક વિસ્તારોમાં 2થી 10 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે.
આજના વરસાદી અપડેટ્સ:
આજે, જૂનાગઢના માળિયા હાટીના, અમરેલીના ધારી, ચલાલા, અને ડાંગના વઘઈ, આહ્વા તથા સાપુતારા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદથી ખેડૂતોની ચિંતા હળવી થઈ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
દિવસવાર વરસાદની આગાહી:
15 ઓગસ્ટ, શુક્રવાર: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.
16 ઓગસ્ટ, શનિવાર: સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે.
17 ઓગસ્ટ, રવિવાર: પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરૂચ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ જ્યારે સુરત, ડાંગ, તાપી, નવસારી, અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
18 ઓગસ્ટ, સોમવાર: દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, અને વલસાડ માટે અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. આ સિવાય રાજ્યના મોટાભાગના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે.
19 ઓગસ્ટ, મંગળવાર: ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે.
20 ઓગસ્ટ, બુધવાર: દ્વારકા, પોરબંદર, અમરેલી, નવસારી, અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, અને ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આ આગાહીને પગલે તંત્રએ જરૂરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જન્માષ્ટમીના તહેવારોમાં ઉજવણી કરતી વખતે લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.